મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા બાંધકામ કરવામાં આવી રહ્યું હોય જે બાબતે કલેકટર દ્વારા પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર, મોરબી નગરપાલિકા, ડી.આઈ.એલ.આર અને કાર્યપાલક ઈજનેર સિંચાઈ વિભાગ મોરબીની કમિટી બનાવી રીપોર્ટ સુપરત કરવા આદેશ કર્યો હતો જે રીપોર્ટ સોપવામાં આવ્યો છે જેમાં સંસ્થાની જમીનની હદ બહાર બાંધકામ થયાનો ખુલાસો થયો છે જીલ્લ ા કલેકટર કે બી ઝવેરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે મચ્છુ નદીના પટમાં સ્વામીનારાયણ સંસ્થા દ્વારા થઇ રહેલા બાંધકામ મામલે કમિટીએ રીપોર્ટ સોપ્યો છે જેમાં ડી.આઈ.એલ.આર મોરબીના રીપોર્ટ મુજબ સંસ્થાની જમીનની હદની બહાર બાંધકામ થયેલ હોય જે બાંધકામ દુર કરાવવાનું રહે છે તો ચીફ ઓફિસરના રીપોર્ટ મુજબ સંસ્થા દ્વારા કરવામાં આવેલ બાંધકામમાં નિયમો મુજબ વોટરબોડીઝ (નદી) થી નિયમોનુસાર અંતર જાળવવામાં આવેલ નથી તેમજ પાલિકા દ્વારા બાંધકામ મંજુરી બાબતે સંસ્થાને નોટીસ આપવામાં આવી છે તો સંસ્થાએ કરેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સંસ્થા પ્રશાસનની સાથે રહેશે અને સૂચનાઓનું પાલન કરશે સંસ્થાએ કોઈ વિરોધ કર્યો નથી અને પ્રશાસનની કામગીરી અટકાવવા વિનંતી પણ નથી કરી જે બાંધકામ દુર કરવાનું થશે તો તે મુજબ સંસ્થા જાતે દુર કરે તે માટે સમજૂત કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech