પુરને લીધે ધોવાયેલા ગ્રામ્યપંથકના રસ્તાઓની મરામત કામગીરી થઇ શરૂ

  • September 02, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીને કારણે ગ્રામ્યપંથકના અનેક રસ્તાઓનું ધોવાણ થયુ છે ત્યારે તેની મરામતની કામગીરી યુધ્ધના ધોરણે શ‚ કરી દેવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં ભારે વરસાદ ના કારણે એક ગામ થી બીજા ગામને જોડતા અમુક માર્ગોનું ધોવાણ થયું હતું. જેથી જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી આર એન્ડ બી વિભાગ  પંચાયત દ્વારા ગ્રામ્ય રસ્તાઓની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે શ‚ કરવામાં આવી છે. આર એન્ડ બી વિભાગના એન્જિનિયરના જણાવ્યા મુજબ પોરબંદર જિલ્લાના શ્રીનગરનો રોડ, ખાગેશ્રીથી પારડવા, પસવારીથી ચિખલોદ્ર, ભોડરથી કોટડા, સોઢાણાથી ફટાણા, રાણા કંડોરણાથી ઠોયાણા, નેરણા અને ઠોયાણા થી જાંબુ સહિતના ધોવાયેલ રસ્તાની મરામતની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવી છે. આ રસ્તાઓની તાત્કાલિક ધોરણે મરામત કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ શ‚ થાય તેવું આયોજન થયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application