Uttarkashi Tunnel Rescue Operation: રાહત કાર્યમાં વિલંબથી ચિંતિત કામદારોના સંબંધીઓ સ્થળ પર પહોંચ્યા

  • November 25, 2023 08:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિલ્ક્યારા ટનલમાં 41 કામદારોના જીવ જોખમમાં છે. બચાવના માર્ગમાં અનેક પ્રકારના અવરોધો આવી રહ્યા છે. સર્ચ અને રેસ્ક્યુ માટે દેશના વિવિધ ભાગોમાંથી જે મશીનો લઈ જવામાં આવી રહ્યા છે, તેમને સિલ્ક્યારા પહોંચવામાં ખરાબ રસ્તાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવારે બચાવ કાર્ય ટૂંક સમયમાં ફરી શરૂ થશે.



ચારધામ ઓલ વેધર પ્રોજેક્ટની સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારોના જીવ બચાવવા માટે ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. છેલ્લા 13 દિવસથી ટનલની અંદર ફસાયેલા કામદારોની તબિયત સારી છે. પાઈપો દ્વારા કામદારોને સતત ખોરાક પૂરો પાડવામાં આવે છે. આજે 14માં દિવસે તમામ કામદારો સુરક્ષિત બહાર આવી જશે તેવી આશા છે.


બીએસએનએલના કર્મચારી કુંદને કહ્યું, "સરકારની સૂચના પર, અહીં લેન્ડલાઇન સુવિધા આપવામાં આવી રહી છે. આ માટે વાયર નાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અંદર ફસાયેલા મજૂરોને લેન્ડલાઇન (ફોન) મોકલવામાં આવશે જેથી તેઓ તેમના પરિવારનો સંપર્ક કરી શકે અને સભ્યો તેમના પરીવાર સાથે વાત કરી શકે છે."



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application