જે રીતે ગિરનારની લીલી પરિક્રમાનુ આયોજન થાય છે તે રીતે પોરબંદરના બરડા ડુંગરની પરિક્રમાનું પણ દર વર્ષે વિક્રમ સંવતના નવા વર્ષે આયોજન થાય છે. તેથી તે અંગેની તૈયારીઓ ધમધમી રહીછે.
રાણાવાવની જાંબુવંતી ગુફાની આયોજક સમિતિ દ્વારા જણાવાયુ છે કે કારતક સુદને ત્રીજને સોમવાર તા. ૪-૧૧થી ચાર દિવસ માટેની બરડા ડુંગરની પરિક્રમા યોજવામાં આવશે. બરડો ડુંગર દેવભૂમિ છે. તે ૧૪મુ રતન છે. તેમા અનેક દેવ-દેવીઓ તથા સંતો બિરાજે છે. શ્રી ત્રિકમાચાર્યબાપુ તથા શ્રી વિંધ્યવાસી (વેણુવાળીમા)ની તપોભૂમિ છે. તો ઉપરોકત સમસ્ત દેવી-દેવતાઓ, સંતો તથા બરડા દેવની પ્રદક્ષિણાનું આયોજન રાણાવાવ જંબુવંતી ગુફા આયોજક સમિતિ દ્વારા તા. ૪-૧૧-૨૦૨૪થી ચાર દિવસ માટે કરવામાં આવ્યુ છે.આ વર્ષે હજુ વરસાદ વરસી રહ્યો હોવાથી લીલીછમ્મ જોવા મળી રહી છે અને અમુક જગ્યાએથી તો પાણીના ઝરણા ખડખડ વહી રહ્યા છે.
જેમાં પહેલો પડાવ તા.૪-૧૧-૨૦૨૪ સોમવારે વહેલી સવારે ૮ વાગ્યે પ્રસ્થાન કરી જંગલના રસ્તે થઇ સાંજ સુધીમાં રાણપુર ધિંગેશ્ર્વર મહાદેવના સાન્નિધ્યમાં રોકાણ કરવામાં આવશે. બીજો પડાવ તા. ૫-૧૧-૨૦૨૪ મંગળવારે વહેલી સવારે ૫ વાગ્યે પ્રસ્થાન કરી પાછતર ઘુમલી થઇ મોડપર આહિર સમાજ ખાતે રાત્રિ રોકાણ કરવામાં આવશે. ત્રીજો પડાવ તા. ૬-૧૧-૨૦૨૪ બુધવારે વહેલી સવારે પાંચ વાગ્યે પ્રસ્થાન કરી બીલેશ્ર્વર મહાદેવ ખાતે ચા નાસ્તો કરી રાત્રી મુકામ કષ્ટભંજન હનુમાનજીની જગ્યાએ કરવામાં આવશે. ચોથો પડાવ તા. ૭-૧૧-૨૦૨૪ ગુરુવારે વહેલી સવારે ૫ વાગ્યે પ્રસ્થાન કરી રાણાવાવ મુકામે જાંબુવંતીના ગુફા ખાતે પરિક્રમાની પૂર્ણાહુતિ થશે. આયોજકોએ જણાવ્યુ છે કે યાત્રીઓએ પોતે પૂરતો જાતે વહન કરી શકે તેટલો સામાન તથા પાગરણ જાતે લાવવો, બધા પડાવે જમવા તથા રહેવાની અલગ વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે. પોતાની સાથેનો માલ સામાન વહન કરવા સંસ્થા દ્વારા વાહન રાખવામાં આવે છે. જે સામાન એક પડાવેથી બીજા પડાવે લઇ જશે. પદયાત્રીઓને પડાવથી નીકળ્યા પછી ચા નાસ્તો પાણીની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવશે. પદયાત્રીઓ સાથે જરી સ્વયંસેવકો તથા જરી વાહનો, જરી ચીજો રાખવામાં આવે છે. સંપૂર્ણ પરિક્રમા ત્યારે જ પૂરી થાય છે, જ્યારે જાંબુવંતી ગુફાએથી ચાલુ કરીને જાંબુવંતી ગુફાએ પૂર્ણ કરવામાં આવશે. આ પરિક્રમામાં જોડાવવા માટે તથા વધુ માહિતી માટે ભીમામાઇ મકવાણાના મો.૯૯૧૩૯ ૫૬૧૩૦, માલદેભાઇ ઓડેદરાના મો. ૯૭૨૬૭ ૫૧૪૮૫, ચંદ્રેશભાઇ ભલસોડના મો.-૮૩૨૦૯ ૧૬૬૪૨, વશરામભાઇ પીપરોતરના મો.૯૮૨૫૨ ૩૨૬૬૫, રમેશભાઇ ચૌહાણના મો. ૯૯૨૪૧ ૨૯૪૮૯, નિખીલભાઇ સોની મો. ૯૭૨૩૩ ૦૩૭૧૧, સુનીલભાઇ ચૌહાણના મો.૯૦૫૪૪ ૦૦૫૦૦, જગુભાઇ મોરીના મો. ૯૮૭૯૦ ૦૬૩૧૧, લિલેશભાઇ સોનીના મો. ૯૯૭૯૬ ૭૭૦૬૫, ધર્મેશ મકવાણાના મો. ૯૯૦૯૩ ૧૪૩૭૩ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પધાર્યા સંત નવોદિત વંશાચાર્ય પંથ શ્રી ઉદીતમુની નામ સાહેબ
April 02, 2025 01:03 PMવકફ સુધારા બિલના સમર્થનમાં ઉતરી મુસ્લિમ મહિલાઓ, કહ્યું 'મોદીજી, તમે લડો... અમે તમારી સાથે છીએ'
April 02, 2025 01:00 PMજામનગરના હાપા યાર્ડ ખાતે ધાણાંની મબલક આવક, યાર્ડ સેક્રેટરીએ વિગતો આપી
April 02, 2025 12:59 PMલોકસભામાં વક્ફ બિલ રજૂ થતા વિપક્ષનો હોબાળો, કહ્યું, આ કાયદો દેશમાં થોપી બેસાડવા માંગો છો
April 02, 2025 12:56 PMઆ રાશિના લોકોને આર્થિક લાભ મળશે, વિરોધ પક્ષ સક્રિય રહેશે, દલીલો અને વિવાદોથી દૂર રહેવું
April 02, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech