નગરપાલિકા કરતા મહાનગરપાલિકામાં સ્ટ્રીટલાઈટની કામગીરી વધુ ખાડે ગઈ!

  • March 18, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ હોવાથી લોકો ભારે હેરાન-પરેશાન થઈ રહ્યા છે અને મહાનગરપાલિકાના અધિકારીઓ જાગે તેવી માંગ થઈ છે. પોરબંદરના નગરપાલિકાનું તંત્ર હતુ,ત્યારે અનેક વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટ બંધ હોય ત્યારે લોકો સુધરાઈ સભ્યોને જાણ કરતા હતા નગરપાલિકાના પ્રમુખને પણ જાણ કરતા હતા અને તાત્કાલિક કામ થઈ જતુ હતુ,પરંતુ મહાનગરપાલિકામાં અધિકારીઓનું શાસન આવ્યું છે,ત્યારથી દિવસે-દિવસે પરિસ્થિતિ વિકટ બની રહી છે અને લોકોના સામાન્ય પ્રશ્ર્નોનું પણ નિરાકરણ થતું નથી.તેની સાબિતી અનેક વિસ્તારોમાં અંધારપટ છે અને સ્ટ્રીટલાઈટ બંધ છે તેમાંથી મળી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application