પોરબંદરની ચોપાટી પરના રમણીય બગીચાની દયનીય પરિસ્થિતી

  • September 09, 2024 02:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર નગરપાલિકાના તંત્રએ ચોપાટી ઉપર કેટલાક વર્ષો પહેલા રમણીય બગીચો બનાવ્યો હતો.જે કોઈ સ્થળે નગરપાલિકાનું તંત્ર બગીચો બનાવે છે ત્યાં બગીચાની સુરક્ષા માટે ચોકીદાર, વૃક્ષોના જતન માટે માળી કે મેન્ટેનન્સ માટેની કોઈ જ વ્યવસ્થા કરતું નથી જેના કારણે બગીચાઓનું થોડા મહિનામાં જ નિકંદન નીકળી જાય છે એ જ પરિસ્થિતિ ચોપાટી ઉપર જોવા મળી રહી છે.આ બગીચામાં હીચકા સહિતના બાળ મનોરંજનના  સાધનો ભાંગી તુટી ગયા છે,તો ગાય જેવા પશુઓ અંદર ઘુસીને વૃક્ષોને નુકસાન પહોંચાડી રહ્યા છે તથા સાફ-સફાઈના અભાવે ચારે બાજુ ગંદકીના ગંજ ખડકાઈ ગયા છે તંત્ર બગીચો બનાવ્યા પછી તેની જાળવણી માટે પણ યોગ્ય આયોજન કરે તે ઇચ્છનીય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application