દીકરીના લગ્ન માટે રોકેલી રૂા.૧ લાખની રકમ ફાઇનાન્સનો માલિક ઓળવી ગયો

  • May 14, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રૈયારોડ પર રાણીમાં ડીમાં ચોક પાસે આવાસ યોજના કર્વાટરમાં રહેતા અને પંચરની દુકાન થકી પરિવારનું ગુજરાન ચલાવનાર આધેડે દીકરીના લગ્નમાં ઉપયોગમાં આવે માટે ફાયાનાન્સ પેઢીમાં .૧ લાખની એફ.ડી કરાવી હતી.જે રકમ પેઢી માલિક ઓળવી જતા આ અંગે આધેડે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે આરોપીને ઝડપી વિશેષ તપાસ હાથ ધરી છે.

શહેરના રૈયા રોડ પર રાણીમાં ડીમાં ચોકથી આગળ બાર માળિયા કવાર્ટરમાં રહેતા અને પંચરની દુકાન થકી પરિવારનું ગુજરાન ચલાવનાર રમેશભાઇ ભીખાભાઇ ખેતરીયા (ઉ.વ ૪૮) નામના આધેડ દ્રારા ગાંધીગ્રામ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જીતવંતીકાનગર શેરી નં.૨(અ), એસ.કે ચોક પાસે રહેતા અને ઘર નજીક ગજ કેશરી ફાઇનાન્સની ઓફિસ ધરાવનાર જયેન્દ્રસિંહ ભરતસિંહ જાડેજા (ઉ.વ ૨૯) નું નામ આપ્યું છે.

આધેડે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૧૮માં તેઓ પોતાના મિત્ર મૌલિકભાઈ રાવલ કે જે ભારતીય ઇન્સ્યોરન્સ એકઝા કંપનીમાં નોકરી કરતા હોય તેમને દીકરીના લગ્ન  સુધી રોકાણ કરવા બાબતે પૂછતા તેમણે ગજ કેશરી ફાઈનાન્સના માલિક જયેન્દ્રસિંહ જાડેજા સાથે મુલાકાત કરાવી હતી. આ જયેન્દ્રસિંહ રોકાણ પર સારા વળતરની સ્કીમો જણાવી હતી. બાદમાં તા. ૧૫૩૨૦૧૮ ના રોજ છ વર્ષ સુધી રૂપિયા ૧ લાખની એફ.ડી કરાવી હતી આ એફ.ડી. ની પાકતી મુદત તારીખ ૧૫૩૨૦૨૪ ની હતી.
એફ.ડી. ની પાકતી મુદ્દતના સાત આઠ દિવસ પૂર્વે આરોપી જયેન્દ્રસિંહ જાડેજાએ ફરિયાદીને ફોન કરી કહ્યું હતું કે, તમને જે બે ચેક આપ્યા છે તે તમે ખાતામાં નાખતા નહીં મા તે એકાઉન્ટ ફ્રિઝ થઈ ગયું છે. તમે નવા ચેક લઈ જજો જેથી ફરિયાદી તેના મિત્ર મૌલિકભાઈ સાથે આરોપી જયેન્દ્રસિંહની ઓફિસે ગયા હતા અને તેણે બીજા બે ચેક આપ્યા હતા. બાદમાં ફરિયાદીએ આ બંને ચેક વટાવવા માટે બેંકમાં રજૂ કરતા બંને ચેક બાઉન્સ થયા હતા. બાદમાં જયેન્દ્રસિંહની ઓફિસે જઈ આ બાબતે વાતચીત કરતા તેણે પૈસા પરત આપી દેવાના વાયદાઓ કર્યા હતા. અવારનવાર કહેવા છતાં તેઓ માત્ર વાયદાઓ જ કરતા હતા પરંતુ પૈસા પરત ન આપતા અંતે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું થતાં હાજર દ્રારા આ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ ૪૦૬, ૪૨૦, અને જીપીઆઇડી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.પોલીસે આરોપી જયેન્દ્રસિંહ જાડેજાની સકંજામાં લઇ વધુ પુછતાછ શ કરી છે.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એસ.એલ. ગોહિલ ચલાવી રહ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application