ધોરણ ૧૨વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને ૧૭ મે ના રોજ માર્કશીટ મળશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ તેમજ ગુજકેટ ની માર્કશીટ તૈયાર થઈ આજે જિલ્લાકક્ષાએ મોકલી આપવામાં આવી છે આવતીકાલે સ્કૂલોને માર્કશીટનો વિતરણ કરાશે ત્યારબાદ શુક્રવારથી વિધાર્થીઓને માર્કશીટનું વિતરણ કરવામાં આવશે બોર્ડના વિધાર્થીઓને ગુજકેટની માર્કશીટ પોસ્ટ વિભાગ દ્રારા મોકલવામાં આવશે જેથી તેમને પણ આગામી દિવસોમાં માર્કશીટ મળી રહેશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ ૧૨ સાયન્સ, સામાન્ય પ્રવાહ અને ગુજકેટની પરીક્ષાનો પરિણામ શિક્ષણના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે જાહેર કરવામાં આવ્યું હતું જે ગત ૯ મે રોજ જાહેર થયા બાદ હવે માર્કશીટ વિતરણ ની પ્રક્રિયા હાથ ધરાશે.
આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર ભરના તમામ જિલ્લાઓમાં માર્કશીટ મોકલી આપવામાં આવી છે આવતીકાલે ડી ઇ ઓ કચેરી દ્રારા તમામ શાળાઓને માર્કશીટ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેથી કરીને ૧૭મી એ એટલે કે શુક્રવારે વિધાર્થીઓને માર્કશીટ સરળતાથી મળી જાય. પરિણામ જાહેર થયા બાદ અત્યારે એ ગ્રુપના વિધાર્થીઓ એન્જિનિયરિંગમાં એડમિશન માટેની પ્રક્રિયા કરી રહ્યા છે ત્યારબાદ આગામી દિવસોમાં નીટનું પરિણામ જાહેર થયા બાદ મેડિકલમાં પ્રવેશ તબક્કો શ થશે, ટૂંક સમયમાં એસીપીસી મેરીટના રાઉન્ડ શ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationGST Filing Relief: કંપનીઓને મોટી રાહત, જીએસટી ફાઇલિંગમાં થનારો આ ફેરફાર ટળ્યો
May 16, 2025 11:20 PMકોવિડ-19: કોરોનાની નવી લહેર! હોંગકોંગથી લઈને સિંગાપોર સુધી ફરી વધ્યા કેસ
May 16, 2025 11:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech