અમૃત ઉધોગનગરમાં કારખાનેદારને સર્વિસ સ્ટેશન સંચાલકના પિતાએ ધોકા વડે માર માર્યેા

  • September 17, 2024 02:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમૃત ઉધોગ નગરમાં કારખાનું ધરાવનાર યુવાનને બાજુમાં જ આવેલા સર્વિસ સ્ટેશનના સંચાલકના પિતાએ કારખાનામાં ઘૂસી ધોકા વડે મારમાર્યેા હતો. કારખાનામાં કામ કરતા કારીગરને ૧૫ એક દિવસ પૂર્વે સર્વિસ સ્ટેશન સંચાલક સાથે માથાકૂટ થઈ હોય જેનો ખારો રાખી આ હત્પમલો કરવામાં આવ્યો હતો. આ અંગે કારખાનેદારની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં કોઠારીયા રોડ પર તુલસી પુષ્પવન એપાર્ટમેન્ટમાં રહેતા અને અમૃત ઉધોગનગર મેઇન રોડ પર ગુલાબનગરની બાજુમાં એકતા એન્જિનિયરિંગ નામનું કારખાનું ધરાવનાર વિરેન્દ્રભાઈ ઉર્ફે લાલભાઈ હસમુખભાઈ પટેલ(ઉ.વ ૩૩) દ્રારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે વિનુ વેલજીભાઈ અણદાણીનું નામ આપ્યું છે.
કારખાનેદાર યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ બપોરના તે તથા તેમનો મિત્ર આશિષભાઈ ગોહિલ અહીં કારખાને હતા ત્યારે બાજુમાં સર્વિસ સ્ટેશન ચલાવતા સાગર અણદાણીના પિતા વિનુ અણદાણી અહીં હાથમાં લાકડાનો ધોકો લઈ આવ્યા હતા કારખાનામાં કામ કરનાર વિવેકને પંદર દિવસ પૂર્વે સાગર સાથે માથાકૂટ થઈ હોય જે બાબતનો ખાર રાખી તેના પિતા વિનુભાઈ અહીં કારખાનેદારને ગાળો આપવા લાગ્યા હતા. જેથી ફરિયાદી વિરેન્દ્રભાઈએ ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાય ધોકા વડે હત્પમલો કરી દીધો હતો અને માર મારવા લાગ્યા હતા.
દરમિયાન યુવાનના મિત્રે વચ્ચે પડી તેને વધુ મારમાંથી બચાવ્યો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બાદમાં તેણે આ અંગે ફરિયાદ નોંધાવતા આજીડેમ પોલીસે આરોપી સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application