પોરબંદરના માલ ગામે યુવાનની થયેલી હત્યાના આરોપીને પોલીસે હરિદ્વાર ખાતેથી પકડી પાડયો છે.
મૂળ માલ ગામે તથા હાલ ગાંધીનગરના કુડાસન ખાતે રહેતા એન્જીનીયર આનંદ કુમાર પરબતભાઇ ઓડેદરા નામના ૨૫ વર્ષના યુવાને તા.૯-૧૧ના તેના ભાઇ દીપકની ઘાતકી હત્યા અંગેનો ગુન્હો નોંધાવ્યો હતો જેમાં જણાવ્યુ છે કે તેઓ તથા તેનો ભાઇ દીપક છેલ્લા આઠ વર્ષથી વાપી ખાતે રહેતો હતો અને એન્જીનીયર તરીકે ખાનગી કંપનીમાં ફરજ બજાવતો હતો. દિવાળીના તહેવાર હોવાથી પંદર દિવસ પહેલા ફરિયાદી આનંદકુમાર ગાંધીનગરથી અને તેનો મોટોભાઇ દીપક અને ભાભી નીમુબેન વગેરે વતન આવ્યા હતા ફરીયાદી આનંદકુમારને તાવ આવતો હોવાથી તે અને તેનો ભાઇ દીપક બાઇકમાં કુતિયાણા દવા લેવા માટે નીકળ્યા હતા ત્યારે અગાઉના આર.ટી.આઇ. કર્યાના મનદુ:ખને લઇને હાજા મેણંદ પરમારે ઘાતક હુમલો કર્યો હતો જેમાં ઘવાયેલા દીપક ઓડેદરાનું મોત થયુ હતુ અને આરોપી હાજો ફરાર થઇ ગયો હતો.
પોલીસે હરિદ્વાર જઇને પકડી પાડયો
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્ય સુરજીત મહેડુના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુન્હાના કામનો આરોપી હાજા મેણંદ પરમાર રહે. માલગામ નવાપરા વિસ્તાર તા. કુતિયાણાવાળો ગુન્હો કરી નાશી છૂટેલ હોય જે અન્વયે કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.પી. પરમાર તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એન.ઠાકરીયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો આરોપીની તપાસમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના પોલીસ હેડ કોન્સ્ટેબલ પીયુષ રામજીભાઇ ઓડેદરાને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે ઉપરોકત ગુન્હાના કામે પકડવાનો બાકી આરોપી હાલ હરિદ્વાર મહેર સમાજ ખાતે રોકાવા માટે આવેલ ની હકીકત મળતા કુતિયાણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એન. ઠાકરીયાને સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે હરિદ્વાર ખાતે આરોપીની તપાસમાં રોકાયેલા હતા તે દરમ્યાન ઉપરોકત ગુન્હાના કામના આરોપી હાજા મેણંદભાઇ પરમારને હરિદ્વાર મહેર સમાજ ખાતેથી શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેકટર વી.પી. પરમાર, પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એન.ઠાકરીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પિયુષ રામજીભાઇ, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઇ ભોજાભાઇ, અશ્ર્વિન વેજાભાઇ, અક્ષયકુમાર જગતસિંહ, વિજય ખીમાણંદભાઇ, મહેશ મેરામણભાઇ વગેરે કુતિયાણા પોલીસ સ્ટેશનનો સ્ટાફ રોકાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા: ભગવાન સૂર્યએ રામલલાના કપાળ પર તિલક લગાવ્યું,ભવ્ય રીતે શણગારવામાં આવી રામનગરીને
April 06, 2025 12:16 PMપીએમ મોદીની મુલાકાત બાદ બાંગ્લાદેશનું વલણ બદલાયુ, હવે હિન્દુઓની સુરક્ષા માટે સેના ઉતારવામાં આવી
April 06, 2025 10:36 AMઅયોધ્યામાં રામલલ્લાની જન્મજયંતિના ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા
April 06, 2025 10:24 AMપીએમ મોદી આજે રામેશ્વરમમાં નવા પંબન રેલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
April 06, 2025 09:07 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech