સુરતમાંથી સગીરાને ભગાડી જનાર શખસ ઘંટેશ્ર્વર પાસેથી ઝડપાયો

  • May 08, 2025 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
સુરતમાંથી સગીરાને ભગાડી જનાર શખસને ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારીયામાંથી ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી. પોલીસની તપાસમાં આરોપી સગીરાને બે માસ પૂર્વે ભગાડી ગયો હતો અને છેલ્લા 15 દિવસથી અહીં રાજકોટમાં રહેવા આવ્યો હતો. આરોપી અને સગીરા બંને અહીં કેટરીંગ કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું.


જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર. મેઘાણીની રાહબરી હેઠળ પી.એસ.આઇ એ.એસ.મકરાણી તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ મસરીભાઈ ભેટારીયા, કોન્સ્ટેબલ મુકેશભાઈ સબાડ અને પ્રદીપભાઈ ડાંગરને એવી બાતમી મળી હતી કે, સુરતમાંથી બે માસપૂર્વ સગીરાને ભગાડી જનાર આરોપી હાલ રાજકોટમાં જામનગર રોડ પર ઘંટેશ્વર 25 વારીયા ક્વાર્ટરમાં રહે છે. જેથી આ બાતમીના આધારે પોલીસની ટીમને અહીં પહોંચી આરોપી ચિરાગ ઉર્ફે ભુરીયો ભરતભાઈ મકવાણા (ઉ.વ 23 રહે. ભુવનેશ્વરીનગર સોસાયટી, ડભોઈ, સુરત) ને ઝડપી લઇ સગીરાને મુક્ત કરાવી હતી.


પોલીસે જણાવ્યું હતું કે, આરોપીને સુરતમાંથી સગીરાને ભગાડી ગયો હતો જે અંગે સુરતના ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આરોપી સગીરાને લઈ 15 દિવસથી અહીં ઘંટેશ્વર 25 વારીયા કવાર્ટરમાં રહેતો હતો બંને કેટરીંગ કામમાં પણ લાગી ગયા હતા. આરોપી ચિરાગ સામે અગાઉ સુરતમાં જાહેરનામા ભંગ, દારૂ સહિતના ત્રણ ગુના નોંધાઈ ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application