સુપ્રસિદ્ધ નવા રણુજાનો મેળો સાંસદ પૂનમબેન માડમ દ્વારા જનતા માટે ત્રણ દિવસ માટે ખુલ્લો મુકાયો

  • September 13, 2024 11:11 AM 

કાલાવડ તાલુકાના (દેવપુર) રણુજા સુપ્રસિદ્ધ રામદેવપીર મંદિર રણુજા નો મેળો જનતા માટે ત્રણ દિવસ ખુલ્લો મુકવામાં આવ્યો સાંસદ શ્રી દ્વારા જુના રણુજા હિરાબાપા ની જગ્યા માં રામદેવપીરના દર્શન કરી  રીબીન કાપી મેળાનું શુભારંભ કરાવ્યું આ તકે હીરા બાપા ની જગ્યા જુના રણુજાના ટ્રસ્ટી માલધારી ભરવાડ સમાજ દ્વારા સામૈયા કરી ઢોલ નગારા ના તાલે સાંસદ શ્રી નું સાકર તુલા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.


આ સમયે સાંસદ પૂનમબેન માડમ કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા સુર સાંગડા ના મહંત વાલદાસ બાપુ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેક પટવા જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ ભોજાણી કાલાવડ તાલુકાના ભાજપ પ્રમુખ સંજય ડાંગરિયા શહેર પ્રમુખ હસુભાઈ વોરા આહીર સમાજના અગ્રણી દેવદાનભાઈ જારીયા તેમજ માલધારી સમાજના અગ્રણી ભોજાભાઇ ટોયટા તેમજ માલધારી સમાજનાટ્રસ્ટી મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી, સાંસદ તેમજ નેતાગણ અને કાર્યકરોનું સ્વાગત અભિવાદન કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application