જોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ

  • January 24, 2025 09:52 AM 

બે દિવસય હોમાત્મક યજ્ઞ

       

જોડિયાધામ : જામનગર જિલ્લાના જોડિયાધામ ખાતે આવેલ પ પૂજ્યશ્રી વિરાગમુનિજી સ્થાપિત શ્રી રામ કૃષ્ણ સાધના ટ્રષ્ટ - શ્રી ગીતા વિધાલય " માનસ મંદિર " ખાતે પ પૂજ્યશ્રી મોરારીબાપુના શુભઆશિષ તૅમજ ગીતા વિધાલયના સંસ્થાપક પ પૂજ્યશ્રી વિરાગમુનીજીની શુભ પ્રેરણાથી આ પાવન તપોભૂમિમાં એવમ વિશ્વ કલ્યાણ હરી પ્રસ્તાથે તારીખ : ૨૯ / ૧ / ૧૯૯૩ ના રોજ પૂજ્યશ્રી વિરાગમુનિજીએ અંખડ શ્રી રામ ચરિત માનસની ચોપાઈના પાઠ અનુષ્ઠાન શરૂ કરાવેલ જે ૧૯૯૩ થી અવિરત ચોવીસ કલાક સૌ સાધક ભાવિક ભાઈઓ, બહેનો તથા ગીતા વિધાલયના બાળકો રામ ચરિતમાનસની ચોપાઈનું ગાન કરીને આ કલિયુગ પર્વમાં તન, મનને શાંતિ મેળવી ધન્યતા અનુભવી રહયા છે ( ૩૩ માં વર્ષમાં ) મંગલ પ્રવેશ નિમિતે તારીખ : ૨૮/૧/૨૫ ના રોજ સવારે ૬ : ૦૦ ક્લાકે અંખડ શ્રી રામાયણજીની ચોપાઈના પાઠ, અનુષ્ઠાનનો હોમાત્મકયજ્ઞનો મંગલ પ્રારંભ થશે અને તારીખ : ૨૯/૧/૨૫ ના બુધવારના રોજ સાંજે યજ્ઞની પુર્ણાહુતી થશે શ્રી રામ ચરિત માનસના અંખડ હોમાત્મક યજ્ઞમા શ્રી ગીતા વિધાલય પરિવારના સૌ સાધક ભાવિક, ભક્તજનો, ગીતા વિધાલયના બાળકો ભાગ લેશે સર્વે સાધક ભાવિક ભક્તજનોને લાભ લેવા શ્રી ગીતા વિધાલય પરિવાર દ્વારા ભાવભર્યું નિમંત્રણ છે,



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application