પોરબંદરમાં વરસાદી ઋતુમાં રોગચાળાથી બચવા આરોગ્ય વિભાગે આપ્યું માર્ગદર્શન

  • September 04, 2024 01:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં વરસાદી ઋતુમાં રોગચાળો ફેલાયો છે,જેમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે,ત્યારે આરોગ્ય વિભાગે લોકોને માર્ગદર્શન આપીને રોગચાળાથી બચવા માટે સાવધાની રાખવા અપીલ કરી હતી.
પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.બી. કરમટાએ વરસાદી ઋતુમાં મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગોથી બચવાં સાવધાની રાખવા અપીલ કરી છે.ચોમાસાની વરસાદી ઋતુ દરમિયાન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાની સ્થિતિ સર્જાય નહી તે માટે અગમચેતી રાખવામાં સાવચેતી એ જ સલામતી હોવાનું જણાવ્યું છે. ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા ગંભીર રોગો સામે રક્ષણ મેળવવા માટે કેટલાક તકેદારીના પગલા લેવા જરૂરી છે.
ઘરો, મકાનમાં છત સહિતની જગ્યાઓ તેમજ સોસાયટીમાં પાણીનો નિકાલ કરવો, તાવ કે અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી,પક્ષીખાના, કુંડા, ટાયર, ભંગારનો સામાન વગેરેમાં ભરાયેલા પાણીનો નિકાલ કરવો, સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવાથી મચ્છરથી બચી શકાય છે. રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા અગમચેતીના પગલાને અનુસરી મચ્છરજન્ય રોગોથી બચી શકાય છે.તાવ આવે તો આરોગ્ય કાર્યકર પાસે લોહીની નિ:શુલ્ક તપાસ કરાવવી, મેલેરિયા હોય તો, સંપુર્ણ સારવાર કરાવવી. સામાન્ય રીતે મેલેરિયાનો ફેલાવો માદા એનોફિલિસ મચ્છર દ્વારા થાય છે.મેલેરિયા સામે સાવચેતી રાખવા માટે ઘરની આજુબાજુ પાણીનો ભરાવો થવા ન દેવો, પાણીના નાના ખાડા-ખાબોચિયા પુરી દેવા, પાણીનો મોટી જગ્યામાં સ્ટોરેજ હોય તેવા જળસંગ્રહ સ્થાનોમાં પોરાભક્ષક માછલીઓ અવશ્ય મુકવી, મેલેરિયાથી બચવા દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો.મેલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ સામે કેટલીક સાવચેતી રાખી અને સલામત રહી શકાય છે.ડેન્ગ્યુ અટકાયત માટે ચોખ્ખા પાણીના સંગ્રહની તમામ જગ્યાઓ હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા, થર્મોકોલની શીટ, બીનઉપયોગી ટાયર, ભંગાર, ખાલી વાસણોમાં ફ્રિજની પાછળની ટ્રે,પક્ષીકુંજ, પશુઓને પાણી પીવાની કુંડી સહિત ઉપયોગમાં ન હોય અને ફેંકી દેવા યોગ્ય વસ્તુઓનો નિકાલ કરવો.પાણી ભરાયું હોય તેવા સ્થાનો પરથી પાણી ખાલી કરવા, અને તે સ્થળને સુકાવા દેવા. છત, છાજલી, અગાસી પર પડેલા નકામા ભંગાર, ટાયર વગેરેનો યોગ્ય નિકાલ કરવો,પાણીનો સંગ્રહ ન થાય તેની તકેદારી રાખવી.આ અંગેની વધુ વિગતો માટે આરોગ્ય કાર્યકર અથવા સરકારી દવાખાનોના સંપર્ક કરવો અને અગમચેતી રાખી, ચોમાસાની ઋતુ દરમિયાન મચ્છરજન્ય રોગોથી બચવા જણાવવામા આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application