કોલેજમાં આચાર્યની જગ્યા ભરવા સરકાર ફરી રિવ્યુ કમિટી બનાવશે

  • September 19, 2024 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સલ ગ્રાન્ટેડ કોલેજ સહિત સમગ્ર રાયની ૧૩૫ જેટલી કોલેજોમાં લાંબા સમયથી આચાર્યની જગ્યા ખાલી પડી છે. તે ભરવા માટે રાય સરકાર દ્રારા છેલ્લા એક વર્ષથી પ્રયાસો થતા હોવાનું દેખાડવામાં આવે છે. પરંતુ વાસ્તવમાં આ પ્રકારે ભરતી નહીં કરવાનો સરકારો ઇરાદો હોવાના આક્ષેપ શિક્ષણ જગતમાં થઈ રહ્યા છે.
આચાર્યેાની ભરતી માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન દ્રારા જે નિયમો નક્કી કરવામાં આવ્યા છે તેનાથી વિપરીત નવા નિયમો કમિટીએ સૂચવ્યા હતા અને તે સામે સ્વાભાવિક રીતે વિરોધ ઊઠશે તેવી ગણતરી માંડીને આવવા નિયમોની અમલવારી શ કરવામાં આવી હતી અને વિરોધ ઊઠા પછી સરકારે આ બાબતમાં નવેસરથી રીવ્યુ કમિટી રચવાની જાહેરાત કરીને વધુ એક વખત આ બાબત પર ઇન્ટરવલ પાડી દીધો છે.કોલેજોમાં આચાર્યનો પે ગ્રેડ ૯,૦૦૦ નો છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના ધારા ધોરણ મુજબ આચાર્ય તરીકે અરજી કરનાર ઉમેદવાર પીએચડી હોવો જોઈએ અને ૧૫ વર્ષનો અનુભવ તેમના માટે જરી છે. ઉમેદવારે આઈટી રિટર્ન રજૂ કરવાની કયાંય જોગવાઈ ન હોવા છતાં ૯૦૦૦ ના પે ગ્રેડ વાળી જગ્યા માટે સરકાર દ્રારા નિયુકત થયેલી કમિટીએ ૧૫ લાખના આઈટી રિટર્ન પણ માંગ્યા છે.
જે ઉમેદવારોએ આવા આઈટી રિટર્ન રજૂ કર્યા નથી તેમના મામલે સરકારે કોલેજ સંચાલકોને ગાંધીનગર બોલાવ્યા હતા અને આવા રિટર્ન તાત્કાલિક રજૂ કરવા જણાવ્યું હતું. ૧૫ જેટલી કોલેજના સંચાલકોએ સરકારના આ નિયમને ઘરની ધોરાજી જેવો બતાવી તેનો વિરોધ કરતા સમગ્ર મામલો શિક્ષણ મંત્રી પ્રફુલ પાનેસરીયા સમક્ષ પહોચ્યો હતો અને તેમણે આ બાબતમાં ફરી રિવ્યુ કમિટી રચવાની જાહેરાત કરી હતી.
જે બાબત યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની સૂચનામાં આવતી નથી તે બાબત તાત્કાલિક દૂર કરવાના બદલે ફરી નવેસરથી રિવ્યુ કમિટી રચવાના નિર્ણયથી પણ વિવાદ થયો છે. પરંતુ અત્યારે તો ૧૩૫ કોલેજોમાં આચાર્યેાની ખાલી પડેલી જગ્યા ભરવા માટે ચાલતી પ્રક્રિયાને બ્રેક લાગી ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application