શીતલપાર્ક પાસેના વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક યુવાનની 20 વર્ષની દીકરીને નવાગામમાં રહેતો શખસ ભગાડી ગયો હતો. બાદમાં આ શખસે યુવતીના પિતાને ફોન કરી તું મારી સામે ફરિયાદ કેમ કરે છે. સમાધાન કરી લે તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શીતલ પાર્ક પાસેના વિસ્તારમાં રહેતા 45 વર્ષે રીક્ષાચાલકે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નવાગામ બસ સ્ટેન્ડની સામેની શેરીમાં રહેતા સાહિલ સંજયભાઈ પરમારનું નામ આપ્યું છે.
રીક્ષા ચાલકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં છ દીકરીઓ છે જેમાં તેમની 20 વર્ષની દીકરીને સાહિલ અગાઉ ત્રણ વખત ભગાડી ગયો હતો અને છ માસ પહેલા ફરી ભગાડી જતા હાલ તેમની દીકરી છ માસથી સાહિલ સાથે રહે છે. દરમિયાન તા. 5/4 ના રાત્રીના દસેક વાગ્યા આસપાસ ફરિયાદી ઘરે હતા ત્યારે સાહિલ પરમારનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તું મારી સામે ફરિયાદ કેમ કરે છે તેમ કહી ગાળો આપી કહ્યું હતું કે, તું કોઈ ફરિયાદ કરતો નહીં અને મારી સાથે સમાધાન કરી કરીને જેથી ફરિયાદીએ કહ્યું હતું કે તું મારી દીકરીને સલામત સોંપી દે જે સાંભળી સાહિલે ફોનમાં ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech