બ્રહ્માકુમારી સેન્ટર પાસેનો બગીચો લોકાર્પણ પહેલા ઉકરડામાં ફેરવાયો

  • September 06, 2024 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના પેરેડાઇઝ ફુવારાથી ઝૂરી બાગ તરફ જતા રસ્તે બ્રહ્માકુમારી સેન્ટર પાસે નગરપાલિકાના તંત્રએ લાખો ‚પિયાના ખર્ચે બગીચો બનાવ્યો હતો પરંતુ જતન અને જાળવણીના અભાવે હાલ તે ઉકરડામાં ફેરવાઈ ગયો છે.
પોરબંદર શહેરમાં જ્યાં જ્યાં સાર્વજનિક પ્લોટ હોય ત્યાં ત્યાં બગીચો બનાવવાના સ્વપ્નાદ્રષ્ટાઓએ આડેધડ બગીચા બનાવી નાખ્યા છે. અને એ બગીચાઓનો ભાગ્યે જ કોઈ ઉપયોગ કરે છે. ત્યારે આવું જ કંઈક પોરબંદરના બ્રહ્માકુમારી સેન્ટર પાસે જોવા મળ્યું છે. પોરબંદરના પેરેડાઇઝ ફુવારાથી ઝૂરીબાગ તરફ જતા રસ્તે બ્રહ્માકુમારી સેન્ટર પાસે રબારી કેડાની બરાબર સામે જ સાર્વજનિક પ્લોટ માં બગીચો બનાવી નાખવામાં આવ્યો છે આ બગીચાનું જાળવણીના અભાવે નિકંદન નીકળી ગયું છે ફુવારો બનાવવાના સર્કલમાં હાલ ગાય ભેંસના ગોબર નો ઢગલો જોવા મળી રહ્યો છે. મોટાભાગના બાળ મનોરંજનના સાધનો ભાંગી તૂટી ગયા છે. દરવાજો પણ તૂટીફૂટી ગયો છે. તથા અંદર ચારે બાજુ ઝાડીજાખરાનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. પોરબંદર નગરપાલિકાના તંત્રએ આ પ્રકારના તમામ બગીચાના જતન અને જાળવણી માટે કાર્યવાહી કરવી જ‚રી બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application