ઓરિસ્સામાં આવેલા અને ભકતોની આસ્થાના પ્રતીક સમાન ભગવાન જગન્નાથ મંદિરના ચારેય દ્રાર હવે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, જે કોવીડ સમયથી બધં રાખવામાં આવ્યા હતા અને ભાવિકો એક જ દ્રાર થી આવનજાવન કરી શકતા હતા, જે અંગે લાંબા સમયથી ભકતોમાં રોષ હતો અને હવે જયારે સ્થિતિ સામાન્ય છે ત્યારે મંદિરના ચારેય દરવાજા ખોલી આપવાની માંગણી ઉઠી રહી હતી જે ધ્યાને લેવામાં આવી છે અને નવા મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ શપથ ગ્રહણ કરતાની સાથે જ ચારેય દ્રાર ખુલ્લા મુકવાની જાહેરાત કરી છે
.
ઓરિસ્સાના મંત્રી સૂર્યવંશી સૂરજે કહ્યું કે ચૂંટણી દરમિયાન અમે વાયદો કર્યેા હતો કે અમે તમામ ૪ દરવાજા ફરી ખોલીશું. આજે મંદિરના ચારેય દરવાજા ખુલવાના છે.ઓરિસ્સામાં નવી ચૂંટાયેલી ભારતીય જનતા પાર્ટીની સરકારે પુરીમાં જગન્નાથ મંદિરના તમામ ચાર દરવાજા ફરીથી ખોલવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. સરકારે મંદિર સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ધ્યાન આપવા માટે ૫૦૦ કરોડ પિયાના વિશેષ ભંડોળની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, તેમના સમગ્ર મંત્રીમંડળ સાથે, ચાર દરવાજાના ઉદઘાટનના સાક્ષી બનવા જગન્નાથ મંદિર પહોંચ્યા છે.પુરીના સાંસદ સંબિત પાત્રા, બાલાસોરના સાંસદ પ્રતાપ ચદ્રં સારંગી અને અન્ય મંત્રીઓ અને પક્ષના નેતાઓ પણ પહોચી ગયા હતા.
કોવિડ પછી ૪ દરવાજા બધં કરાયા હતા
અગાઉની બીજેડી સરકારે કોવિડ–૧૯ રોગચાળા પછીથી મંદિરના ચાર દરવાજા બધં રાખ્યા હતા. ભકતો માત્ર એક જ દરવાજાથી પ્રવેશ કરી શકતા હતા અને તમામ દરવાજા ખોલવાની માંગ કરવામાં આવી હતી.જે માન્ય રાખવામાં આવી છે. અષાઢી બીજ આવી રહી છે ત્યારે લેવામાં આવેલા આ નિર્ણય થી ભકતોમાં ખુશાલી છવાઈ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMદેશની સુરક્ષાને લઈને વડાપ્રધાન મોદી એક્શનમાં, બેક ટુ બેક ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ
May 09, 2025 10:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech