એમપીના દતિયામાં કિલ્લાની દીવાલ ધરાશાયી, બેનાં મોત

  • September 12, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્ય પ્રદેશના દતિયા જિલ્લામાં આજે વહેલી સવારે રાજગઢ કિલ્લાની બહારની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી. તેના કાટમાળ નીચે ૯ લોકો દટાયા હતા. ૨ને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. યારે ૨ના મૃતદેહ મળી આવ્યા છે.યુદ્ધના ધોરણે બચાવ કાર્ય શ કરી દેવામાં આવ્યું છે અને કાટમાળ હટાવવાની કામગીરી શ કરાઈ છે. બચાવ માટે એસડીઆરએફની મદદ લેવાઈ છે. જો કે સ્થાનિક લોકોએ કાટમાળ હટાવવામાં ગંભીરતા ન રાખવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં ગુવારે વહેલી સવારે રાજગઢ કિલ્લાની ૪૦૦ વર્ષ જૂની દિવાલ ધરાશાયી થવાને કારણે ૯ લોકો કાટમાળ નીચે દટાયા હતા. પાડોશીઓએ ૨ લોકોને સુરક્ષિત બહાર કાઢા છે. યારે અન્ય લોકોને બચાવવા માટે રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે. ૨ લોકોના મૃતદેહ મળી આવ્યા છે, કણતા એ પણ છે કે ત્રણ બાળકો પણ કાટમાળ નીચે દટાયા છે.
રાજગઢ કિલ્લાની દુર્ઘટના ના સાક્ષીઓએ જણાવ્યું હતું કે સવારે ૩.૩૦ વાગ્યે અમે સૂઈ રહ્યા હતા, ત્યારે અચાનક ખૂબ જોરથી અવાજ આવ્યો. અમે બહાર આવ્યા તો જોયું કે દિવાલ પડી ગઈ હતી. કાટમાળ નીચે દટાયેલા બે લોકોને તાત્કાલિક બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ડાયલ ૧૦૦ પર ફોન કરીને પોલીસને જાણ કરી, જેના પોલીસકર્મીઓ પણ ત્યાં પહોંચ્યા અને લોકોને બહાર કાઢવામાં મદદ કરવાનું શ કયુ. અકસ્માત બાદ સવારે ૮ વાગ્યે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો. તેમણે કાટમાળ હટાવવામાં બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. જણાવ્યું હતું કે, સવારે ૪ વાગ્યાથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે, પરંતુ બચાવ ટુકડીઓ કોઈને બહાર કાઢવામાં સક્ષમ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application