વેરાવળમાં બે દિવસથી દેખાતા દીપડાને પાંજરે પુરવામાં વન વિભાગ નિષ્ફળ

  • May 15, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ શહેરના રીંગરોડ ઉપર આવેલ અતિ ગીચ અને પછાત વિસ્તાર મફતિયાપરામાં છેલ્લા બે દિવસી દીપડો દેખા દેતો હોય તેવી ફરિયાદ ઉઠી છે જેના પગલે આ વિસ્તારના સનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વન વિભાગ દ્વારા પણ રહેણાંક વિસ્તારમાં દીપડો હોવાના કારણે ચિંતિત છે. અને આ દીપડાને પાંજરે પુરવા માટે છેલ્લા  બે દિવસી કવાયત કરી રહી છે પરંતુ આ વિસ્તારમાં પાલિકા તંત્રની ઘોર બેદરકારીના પગલે ગંદા પાણીનું મોટું તળાવ આવેલું હોય અને આ તળાવમાં મસ મોટું ઘાસ ઊગી નીકળું હોય જેમાં આ દીપડો લપાઈ જતો હોવાનું વન વિભાગનું અનુમાન છે. ત્યારે પાલિકા તંત્ર દ્વારા આ ગંદકીનાગંજ અને ઘાસને મશીનરી મારફતે વહેલી તકે દૂર કરવામાં આવે તો આ વિસ્તારમાં દીપડાની દેહેશત માંથી  લોકોને મુક્તિ મળે અને દીપડાને પાંજરે પૂરવામાં વન વિભાગને સરળતા રહે તેમ છે.

હાલ તો છેલ્લ ા બે દિવસી દીપડો દેખાતો હોય અને લોકો સતત ફરિયાદ સો ભયના ઓા હેઠળ જીવી રહ્યા છે ત્યારે જવાબદાર તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે વન વિભાગના સહકારમાં પાલિકા તંત્ર દ્વારા પણ આ ગંદકીના ગંજ અને ઘાસચારાને દૂર કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application