હવે કરછના બંન્નીના ઘાસિયા મેદાનમાં ચિકારા ઉછળતા કુદતા જોવા મળશે. રાજ્યના વન મંત્રાલય દ્વારા ૧.૫ હેક્ટર જમીનમાં પ્રોજેક્ટ ચિકારા આકાર લઈ રહ્યો જેમાં પ્રમ તબક્કે ૨૦ જેટલા ચિકારાઓને લાવવામાં આવશે અને તેનું સંવર્ધન કરવામાં આવશે.
કચ્છના બન્ની વિસ્તારમાં હવે ગુજરાતનું પહેલું ચિંકારા સંવર્ધન કેન્દ્ર બનશે. ૧.૫ હેક્ટર વિસ્તારમાં પ્રોજેક્ટ ચિંકારા આકાર પામશે. રાજ્ય સરકાર દ્વારા હવે બન્નીમાં પ્રોજેક્ટ ચિતા બાદ પ્રોજેક્ટચિંકારા અમલી કરાયો છે. આ વિસ્તારમાં ખુલ્લ ા પાંજરામાં અંદાજિત ૨૦ ચિંકારા મૂકવામાં આવશે અને ત્યારબાદ તેના પ્રજનન અને સંવર્ધન માટે અલાયદી વ્યવસ ઉભી કરવામાં આવશે. હાલની સ્િિતએ બાંધકામ માટે ૫૦ લાખ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ શરુ કરવામાં આવ્યો છે.ત્યારબાદ નારાયણ સરોવ૨ અભ્યારણમાં ચિંકારા મુક્તપણે વિચરણ કરતા યા બાદ જ જંગલ સફારી શરુ કરવામા આવશે.
જેનુ બાંધકામ ૪૦ દિવસમાં પૂર્ણ કરવામા આવશે ત્યારબાદ અન્ય સવલતો ઉભી કરવામાં આવશે. આ બાબતને બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝનના નાયબ વન સંરક્ષક બી.એમ પટેલે સર્મન આપતા વધુમાં જણાવ્યું કે, આ બ્રીડીંગ સેન્ટર કી ચિંકારાની વસ્તીમાં નોંધપાત્ર વધારો શે.બન્ની વિસ્તારમાં ચિતા સંવર્ધન કેન્દ્રનો પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે એ વચ્ચે તૃણાહારી પ્રાણીચિંકારા પણ બન્નીમાં ઉછળકૂદ કરતા જોવા મળશે.
આ મુદ્દે ગાંધીનગર સ્તિ એપીસીસીએફ એ.પી સિંઘે જણાવ્યું કે, ગુજરાતનું આ પહેલું ચિંકારા પ્રજનન કેન્દ્ર હશે. નારાયણ સરોવ૨ અભ્યારણમાં ચિંકારા મુક્તપણે વિચરી રહ્યા છે, જ્યાં તાજેતરમાં જ જંગલ સફારી શરુ કરવાની સરકારે વિચારણા કરી છે.
ચિંકારા સામાન્યત: વર્ષમાં બે વખત બ્રીડિંગ કરતા હોય છે. પહેલા ઓગસ્ટ-ઓક્ટોબરના અંતમાં અને પછી ફરીી માર્ચ-એપ્રિલમાં. માદા ચિંકારા સગર્ભાવસના સાડા પાંચ મહિનાના સમયગાળા પછી એક બચ્ચાને જન્મ આપે છે, જે સંપૂર્ણ રીતે વિકસિત તા બે મહિના જેટલો સમયગાળો લાગે છે તેમ તજજ્ઞો જણાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોદી સરકાર નક્સલવાદ સામે મોટા ઓપરેશનની કરી રહી છે તૈયારી, અમિત શાહ દિલ્હીમાં બનાવશે માસ્ટર પ્લાન
October 05, 2024 08:16 PMએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech