લાખોટા તળાવમાં પડી ગયેલા યુવાનને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યો

  • May 18, 2024 11:00 AM 

૧૦૮ ની ટીમેં સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો


જામનગરમાં લાખોટા તળાવમાં સાંજના સમયે એક વ્યક્તિ તળાવમાં પડી ગયા પછી તેને ફાયર બ્રિગેડની ટુકડીએ બેશુદ્ધ અવસ્થામાં બહાર કાઢ્યો હતો, જેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડતાં તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.


જામનગરમાં લાખોટા તળાવ ગેટ નંબર -૮ ની સામેના ભાગમાં એક વ્યક્તિ તળાવમાં પડી છે, તેવી માહિતીના આધારે ફાયર બ્રિગેડની ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને તેને પાણીમાંથી બહાર કાઢ્યો હતો. જેના ખિસ્સામાં તપાસ કરતાં ઓળખ કાર્ડ નીકળ્યું હતું, જેમાં તેનું નામ નીતિનભાઈ ચુડાસમા (ઉંમર વર્ષ ૫૦) હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

દરમ્યાન ૧૦૮ ની ટુકડી બનાવના સ્થળે આવી પહોંચી હતી, અને તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો, પરંતુ ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હોવાનું જાહેર કરાયું હતું. આ બનાવની જાણ થવાથી સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફ્લો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application