મૂળ સલાયાના અને હાલ હોંગકોંગ રહેતા પરિવારનો વતનપ્રેમ

  • June 14, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મૂળ સલાયાના રઘુવંશી પરિવારના સ્વ.વૃજલાલ ગોપાલદાસ દાવડા પરિવાર જેના પુત્ર વિમલભાઈ જે હાલ હોંગકોંગ રહે છે અને મોટા વ્યવસાય સાથે જોડાયેલ છે. આ દાવડા પરિવાર સલાયામાં વર્ષો સુધી રહ્યા અને ખૂબ સારું એવું નામ કમાયા,બાદ તેમના પુત્ર વિમલભાઈ ધંધાના વિકાસ અર્થે હોંગકોંગ ગયા અને ત્યાં પણ ખૂબ સારું એવું વ્યવસાયિક પ્રતિષ્ઠાન સ્થાપ્યું.  આટલી પ્રગતિ થવા છ્તાં હંમેશા ને માટે પોતાના મૂળ વતન એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામને જરૂર પડીએ હંમેશા તન મન અને ધનથી સહાય કરી.

એ પછી રઘુવંશી સમાજની વાડી કે જલારામ મંદિર કે બેઠકજી તમામ જગ્યાએ તેમને સહકાર આપ્યો છે. હાલ સ્વ.વૃજલાલ ભાઈની સાતમી માસિક પુણ્ય તિથિ નિમિત્તે સફાઈ કામદારોને જમાડી અને ત્યાં આવેલ શંકર મંદિરમાં તાંબાનો નાગ,પોઠિયો(નંદી) વગેરે શિવ મંદિરમાં જરૂરી પૂજાની વસ્તુઓ પધરાવી હતી. આમ આં દાવડા પરિવાર જે સલાયામાં પટેલ તરીકે પણ ઓળખાય છે એમને એમની વતન પ્રત્યેની લાગણી દર્શાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application