ચુરની પરણીતાને વઢવાણના દહેજ ભૂખ્યા પતિ-સાસુનો ત્રાસ

  • September 28, 2024 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસ ફરિયાદ નોંધાવાઈ


જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ચુર ગામમાં રહેતી રાજપૂત પરણીતાને વઢવાણમાં રહેતા તેણીના દહેજ ભૂખ્યા પતિ અને સાસુએ ત્રાસ ગુજારી, ઘરમાંથી હાંકી કાઢી હોવાથી તેણીએ જામજોધપુર પોલીસ મથકમાં પોતાના પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી છે.


જામજોધપુર તાલુકાના ચુર ગામમાં રહેતી રીટાબા ઓઘુભા જાડેજા નામની પરણિત યુવતી ના લગ્ન આજથી એક વર્ષ પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વતની છત્રપાલસિંહ ધર્મેન્દ્રસિંહ રાણા સાથે થયા હતા. લગ્નની શરૂઆતમાં સારી રીતે રાખ્યા બાદ તેણીના પતિ છત્રપાલસિંહ તથા સાસુ અનસુયાબા એ માવતરેથી દહેજમાં કશું લાવી નથી, તેમ કહી,  મારકુટ કરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું.

આથી રીટાબાએ પોતાના માવતરે ચૂર ગામે આવી ગઈ હતી, ત્યારબાદ તેણીએ જામજોધપુર પોલીસ મથકનો સંપર્ક સાદ્યો હતો અને પોતાના દહેજભૂખ્યા પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુન્હો નોંધી તપાસ નો દોર વઢવાણ સુધી લંબાવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application