ઉપલેટામાં ચારને વીજ શોક લાગતાં પત્નીની નજર સામે જ પતિનું મોત

  • September 09, 2024 12:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગઇકાલે બપોર બાદ આહિર પરિવારના ત્રણે સભ્યોને વીજ શોક લાગતા નાનાભાઇનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે તેની પત્નીની ગંભીર હાલત હોય તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હતાં. જયારે મોટાભાઇને સામાન્ય શોક લાગતા તેને રજા અપાઇ હતી. જયારે મરણ જનારનાં પુત્ર બચાવવા જતાં તેને રોકી લેતા તેનો આબાદ બચાવ થયો હતો.
મળતી વિગતો મુજબ શહેરના કમલેશ્ર્વર મહાદેવના મંદિર પાસે રહેતા અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા મુકેશભાઇ ઉર્ફે દેવાનંદભાઇ પોલાભાઇ કંડોરીયા બપોર બાદ પોતે ઘરની બહાર નીકળતા હતાં ત્યારે દરવાજો ખોલતા તેને ઇલે.શોક લાગતા તેને બચાવવા માટે તેમના પત્ની કિરણબેન ઉર્ફે પિન્ટુબેન અને તેના મોટાભાઇ કરમણભાઇને પણ શોક લાગ્યો હતો. આ ઘટનામાં મુકેશભાઇ ઉર્ફે દેવાનંદભાઇ પોલાભાઇ કંડોરીયા (ઉ.વ.૫૦)નું ઘટનાસ્થળે મોત થયેલ હતું. જયારે તેમના પત્ની કિરણબેન ઉર્ફે પિન્ટુબેન મુકેશભાઇ કંડોરિયા (ઉ.વ.૪૫)ની હાલત ગંભીર જણાતા તેને શહેરની ખાનગી ક્રિષ્ના હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. જયારે મરણ જનારના મોટાભાઇ મેરામણભાઇ પોલાભાઇ કંડોરિયાને સામાન્ય શોક લાગતા તેને સારવાર બાદ રજા અપાઇ હતી.
બીન સત્તાવાર ઘટનાનું કારણ એવું જાણવા મળ્યું કે મુકેશભાઇએ તેમના ઘરમાં બારણા ઉપરથી ઇલ.વાયર પસાર થતો હોય તે બે બારણાની વચ્ચે આવી જતાં આ સમગ્ર ઘટના બની હતી. આ ઘટનાની જાણ થતાં આહિર અગ્રણી અને પૂર્વ નગરપતિ દાનભાઇ ચંદ્રવાડીયા સહિત અગ્રણીઓ સિવિલ હોસ્પિટલે પહોંચી ગયા હતાં. સાંજે મરણ જનાર મુકેશભાઇની સ્મશાન યાત્રા નીકળતા કંડોરિયા પરિવારમાં ભારે શોકનું મોજુ ફેલાયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application