જામનગરમાં નાગનાથ ગેઇટ ચોકડી પાસેથી આશરે ૫૫ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષનો મૃતદેહ સાંપડ્યો છે. પોલીસે તેનો કબજો સંભાળી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરના લંઘાવાડના ઢાળીયા વિસ્તારમાં રહેતા અને નાગનાથ ગેઇટ સર્કલમાં દુકાન ચલાવતા સદ્દામ હુસેન અબ્દુલકાદર સંધી નામના વેપારીએ સીટી બી. ડિવિઝન પોલીસને જાણ કરી હતી, કે નાગનાથ ગેઇટ ચોકડી પાસે આશરે ૫૫ વર્ષની વયના એક અજ્ઞાત પુરુષ નો મૃતદેહ પડ્યો છે.
જે માહિતીના આધારે સીટી બી. ડિવિઝન ના પોલીસ સ્ટાફે સ્થળ પર દોડી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવાયા પછી તેની ઓળખ કરવા માટે મૃતદેહ ને કોલ્ડ રૂમમાં રાખ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાની ડ્રોનથી ફિરોઝપુરમાં એક પરિવાર ઘાયલ, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
May 09, 2025 10:19 PMદેશની સુરક્ષાને લઈને વડાપ્રધાન મોદી એક્શનમાં, બેક ટુ બેક ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ
May 09, 2025 10:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech