ભગવાન શ્રી રામના જશ્નમાં ડૂબ્યો દેશ, અયોધ્યાથી ચેન્નાઈ સુધી દિવાળી જેવો માહોલ

  • January 23, 2024 01:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવારે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો હતો. આ સાથે 500 વર્ષના સંઘર્ષ બાદ અયોધ્યાના ગર્ભગૃહમાં ભગવાન રામ લાલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી. જેના કારણે સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ગામડાઓથી માંડીને શહેરો સુધી લોકો દીવા પ્રગટાવીને દીપોત્સવની ઉજવણી કરી રહ્યા છે. મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ રામના આગમન પર લોકો સંગીતની ધૂન પર નાચી રહ્યા છે.


લોકોના આ ઉત્સાહ સાથે દિવાળીની ઉજવણીની તસવીરો સામે આવી છે. આ તસવીરો દિવાળીની જેમ મનમોહક છે. તસવીરોમાં જુઓ દેશમાં દિવાળીની ઉજવણી...


આજે અયોધ્યાથી લઈને દેશના દરેક શહેરો દરેક શહેર દીવાઓની રોશનીમાં ડૂબી ગયા છે. સોમવારે બિહારની રાજધાની પટનામાં લોકોએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહની ઉજવણી માટે દીવા પ્રગટાવ્યા હતા.


અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ નિમિત્તે સરયૂ ઘાટ પર લોકોએ ફટાકડા ફોડ્યા. આ સાથે રામ ભક્તોએ ઘાટ પર દીવા પ્રગટાવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application