જૂનાગઢમાં તળેટી ચોખ્ખી હોવાનો દાવો પોકળ

  • March 04, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા શહેરીજનોને જાહેરમાં ગંદકી ન કરવા જણાવવામાં આવે છે.મેળો સંપન્ન થયા બાદ તળેટી ચોખ્ખી ચણાક હોવાનો દાવો થઈ રહ્યો છે.પરંતુ  ભવનાથ પાકિગ ગ્રાઉન્ડમાં જ કચરાના ખડકલા જોવા મળી રહ્યા છે.સુકો અને ભીનો કચરો ડસ્ટબિનમાં જ નાખવા જણાવવામાં આવે છે. ગ્રાઉન્ડમાં પાકિગની જગ્યાએ આડેધડ ખાણીપીણીના ધંધાથીઓ ઉભા તો રહે છે.પરંતુ ખાણીપીણીના ધંધાર્થીઓ દ્રારા જાહેરમાં કચરો નાખવામાં આવે છે.ગંદકી કરનાર સામે કડક કાર્યવાહી કરાય તેવી પણ માંગ ઉઠી છે.
જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા સ્વચ્છતા ઝુંબેશ અન્વયે ભીનો અને સૂકો કચરો અલગ રાખવા જણાવાય છે. અને જાહેરમાં કચરો નાખનારને ન્યુસન્સ ચાર્જ આપવામાં આવે છે. શહેરીજનો અને વેપારીઓ ભીનો અને સૂકો કચરો અલગ રાખે તે માટે નિશુલ્ક ડસ્ટબીન પણ આપવામાં આવ્યા છે.ભવનાથ તળેટીમાં ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ખાણીપીણીના ધંધાર્થીઓ ઊભા રહે છે. જેથી ખાધ પદાર્થેાને અને ડીસ ,પેકેટ સહિતો જાહેરમાં જ કચરો નાખી ગંદકી કરવામાં આવે છે. તત્રં દ્રારા તળેટી વિસ્તારમાં સફાઈ કરવાના દાવા કરવામાં આવે છે.પરંતુ શનિ–રવિ હજારો લોકો ફરવા આવે છે.પ્લાસ્ટિક પર પ્રતિબધં હોવા છતાં પણ જાહેરમાં પ્લાસ્ટિકની થેલી કચરામાં પડેલી જોવા મળે છે.ગ્રાઉન્ડમાં  મહાનગર પાલિકા દ્રારા લોખંડના સ્ટેન્ડ વાળી કચરાપેટી રાખવામાં આવી હતી. પરંતુ તે જોવા મળી રહી નથી. અમુક ખાણીપીણીના ધંધાર્થીઓ તો કેબિન  હટાવતા પણ. જેથી સફાઈ પણ યોગ્ય થતી નથી અને કેબિન પાછળ પણ કચરાના ગજં જોવા મળી રહ્યા છે. મહાનગરપાલિકા દ્રારા સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી કરનારને ઝડપી ન્યુસન્સ ચાર્જ ફટકારવામાં આવે છે.જેથી ભવનાથ તળેટીમાં આડેધડ કચરો નાખનાર સામે કડક કાર્યવાહી થાય તેવી પણ માગણી ઉઠવા પામી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application