ઓકલેન્ડના અધિકારીઓએ શહેરના એરપોર્ટનું નામ બદલીને સાન ફ્રાન્સિસ્કો બે ઓકલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવાની તરફેણમાં મતદાન કર્યા પછી સાન ફ્રાન્સિસ્કોએ ગુરુવારે ઓકલેન્ડ પર દાવો માંડ્યો હતો અને કહ્યું હતું કે આ ફેરફાર મૂંઝવણ પેદા કરશે અને આ બાબત તેના એરપોર્ટને પહેલેથી જ આર્થિક રીતે અસર કરી રહ્યું છે.
ગયા અઠવાડિયે ઓકલેન્ડ પોર્ટ માટેના બોર્ડ ઓફ કમિશ્નરોએ નામ-ફેરફાર સાથે આગળ વધવા માટે સર્વસંમતિથી મતદાન કર્યું હતું અને 9 મેના રોજ અંતિમ મંજૂરી માટે બીજો મત સુનિશ્ચિત કર્યો હતો. એરપોર્ટને હાલમાં ઓકલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ કહેવામાં આવે છે તેમાં સન ફ્રાન્સિસ્કો નામ ઉમેરવામાં આવ્યું છે.
સાન ફ્રાન્સિસ્કો સિટી એટર્ની ચીયુએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે આશા રાખી હતી કે ઓકલેન્ડ સમજી જશે પરંતુ સ્વીકાર્ય વૈકલ્પિક નામ પર સહયોગ કરવાનો તેમનો ઇનકાર અમને સમ ફ્રાન્સિસ્ક ના ટ્રેડમાર્કને સુરક્ષિત કરવા માટે દાવો દાખલ કરવા સિવાય કોઈ વિકલ્પ છોડતો નથી. સાન ફ્રાન્સિસ્કો કોર્ટને ઓકલેન્ડ એરપોર્ટને તેના નામ-પરિવર્તન સાથે આગળ વધતા અટકાવવા અને નવું નામ સાન ફ્રાન્સિસ્કો ઇન્ટરનેશનલ એરપોર્ટના ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કરે તેવો નિયમ કરવા માટે કહી રહ્યું છે.
નામ બદલવાની યોજના ઇરાદાપૂર્વક એવા પ્રવાસીઓને વાળવા માટે રચાયેલ છે કે જેઓ ખાડી વિસ્તારની ભૂગોળથી અજાણ હોઈ શકે છે તેમ કહેતા ચિયુએ ઉમેર્યું હતું કે, નામ બદલવાનું આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે મૂંઝવણભર્યું હશે. જે પ્રવાસીઓ અંગ્રેજી બોલતા કે વાંચતા નથી. પોર્ટ ઓફ ઓકલેન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સૂચિત નામ બદલવાથી નિયમ કે ટ્રેડમાર્કનું ઉલ્લંઘન થતું નથી. અમે સાન ફ્રાન્સિસ્કો ખાડી પર અમારી જગ્યાનો દાવો કરવાના અમારા અધિકારનો જોરશોરથી બચાવ કરીશું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech