મહુવા તાલુકાના યાત્રાધામ બગદાણા અને રાળગોન ગામની વચ્ચે ખારડી નદીનો પુલ બગદાણા અને રાળગોન ગામને જોડે છે. જે અંદાજિત ૧૫ વર્ષથી પણ અચાનક બેસી જતા તળાજા-ભાવનગર- પાલિતાણા તરફ જવા માટે ખૂબ જ અગવડતા ઉભી થઇ છે. હાલ રાળગોનથી દુદાણા થઈને બગદાણા તરફ વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.
ખૂબ જ ટ્રાફિક ધરાવતા રોડ પરનો પુલ તૂટી પડતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હોય રાળગોન ગામના સરપંચ દ્વારા તાત્કાલીક પગલા ભરી મરમત કાર્ય તાત્કાલીક ધોરણે ચાલુ કરવામાં આવ્યું છે. હાલમાં આ પુલની નજીક ચેક ડેમ છે. તેથી તેમાં પાણી પણ ભરેલ છે. ઉલ્લેખનીય છે કે બગદાણા ગુરૂઆશ્રમ ખાતે ભાવનગર ઉપરાંત અમદાવાદ, નવસારી સહિતના જિલ્લાઓમાંથી પ્રતિદિન અસંખ્ય લોકો આવતા હોય છે.
ત્યારે બગદાણા જવા માટેના માર્ગ પર પુલ બેસી જવાના કારણે યાત્રાળુઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ નું નિર્માણ થયું છે. ગુજરાત સહિત દેશભરમાંથી દરરોજ હજારો અને દર પુનમે લાખો શ્રદ્ધાળુઓ આવે છે. ત્યારે ઠળિયાથી રાળગોન ગામ નજીકનું નાળુ બેસી જતા હજારો યાત્રિકો મુશ્કેલીમા મુકાયા હતા. ૯ કિમિ દૂર ડાયવર્જન કાઢવામા આવ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઇઝરાયેલમાં અંધાધૂંધ ગોળીબારમાં મહિલાનું મોત, અનેક ઘાયલ
October 06, 2024 08:27 PMIND W vs PAK W: ભારતીય ટીમે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું
October 06, 2024 08:25 PMનરેન્દ્ર મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વણથંભી વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ
October 06, 2024 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech