અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના છેવાડાના ટીંબી ગામના બે વિસ્તારને જોડતો પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં છે.આ પુલ પરથી દરરોજની હજારો લોકોની અવર-જવર રહે છે.આ પુલ ધરાશાય થાય તો મોટી જાન હાનિ થઈ શકે તેમ છે.તો પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે પુલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. જાફરાબાદ વિસ્તારનું ટીંબી મોટું ગામ છે.અહીં દરરોજ ૩૦ થી ૩૫ ગામોના લોકો હટાણું કરવા માટે આવતા હોય છે.જેના કારણે મોટી સંખ્યામાં લોકોની અવર-જવર આ ગામમાં જોવા મળતી હોય છે.ખાસ કરીને આ ગામની નદી પર આવેલ પુલ છેલ્લા ઘણા વર્ષીથી જર્જરીત હાલતમાં જોવા મળો રહ્યો છે.પુલ પર અનેક જગ્યાઓ પર નાના-મોટા ગાબડાઓ પડી ગયા છે.તેમજ સળિયાઓ દેખાઈ આવ્યા છે.જેથી આ પુલનો ક્ષમતા તપાસ કરવામાં આવે તો ખૂબ જ ઓછી હોવાનું સ્થાનિકોનો આરોપ છે.આ પુલ પરથી એસ.ટી બસો,ખાનગી બસો,ભાર વાહન વાહનો પસાર થતા હોય છે.
તદ ઉપરાંત અહીં શાળાએ જતા વિદ્યાર્થીઓની પણ સતત અવર જવર રહેતી હોય છે.તેવામાં પુલની ખરાબ સ્થિતિને જોતા ધરાશાય થવાનો ભય લોકોને સતાવી રહ્યો છે. આ પુલ ગમે ત્યારે ધરાશાય થઈ શકે તેવી ગામ લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.સ્થાનિક પ્રશાસન દ્વારા સમારકામ ન કરવામાં આવ્યું હોવાને કારણે મોટી દુર્ઘટના સર્જવવાનો ભય રહેલો છે.ત્યારે જવાબદાર તંત્ર દ્વારા પુલનું સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરો રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસેન્સેક્સ 80 હજારને પાર થતાં CJI DY ચંદ્રચુડ ખુશ, SEBIને આપી સલાહ
July 04, 2024 03:27 PMરાજકોટ CPનો વિચિત્ર નિર્ણય, પોલીસ કમિશનર કચેરીમાં મીડિયાને પ્રવેશબંધી
July 04, 2024 03:27 PMશાપર વેરાવળ પાસે આવેલ પારડી ગામ નજીક ટ્રકમાં લાગી આગ
July 04, 2024 03:25 PMરાજકોટ શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ગત રાતે સઘન ચેકીંગ..
July 04, 2024 03:23 PMરાજકોટમાં કોઠારીયા રોડ પર મહાદેવના મંદિરમાં ચોરી, દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ
July 04, 2024 03:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech