આજીડેમ નજીક રામવન પાસે ખાણમાંથી યુવકની લાશ મળી

  • September 20, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના કોઠારીયામાં રણુજા મંદિર પાછળ આવેલી સોમનાથ સોસાયટીમાં રહેતા યુવકની લાશ આજીડેમ નજીક પાસે ખાણમાંથી મળી આવતા પોલીસ દોડી ગઈ હતી. યુવક ગઈકાલે ઘરેથી નીકળ્યા બાદ પરત ન ફરતા શોધખોળ હાથ ધરી હતી પરંતુ પતો લાગ્યો ન હતો અને આજે મૃતદેહ મળી આવતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
પ્રા વિગત મુજબ રણુજા મંદિર પાછળ આવેલી સોમનાથ સોસાયટી–૧માં રહેતા રાજેન્દ્રભાઇ જેન્તીભાઇ પીપળીયા (ઉ.વ.૩૨)નામના યુવક ગઈકાલે પોતાના ઘરેથી બપોરે નીકળ્યા બાદ મોડે સુધી પરત ન ફરતા પરિવારજનોએ ફોન કરતા ફોન નો રીપ્લાય થતો હતો યાં કારખાનામાં કામ કરતા હતા ત્યાં પણ ન હોવાથી પરિવારે પોલીસમાં જાણ કરી હતી. દરમિયાન આજીડેમ પાસેના રામવન પાસે આવેલી ખાણમાં મૃતદેહ પડો હોવાની જાણ આજીડેમ પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને પીએમ માટે ખસેડી જરી કાર્યવાહી કરી હતી. મૃતક બે ભાઇમાં નાના હતા અને છૂટાછેડા થઇ ગયા હતા. યુવકે આપઘાત કર્યેા કે કેમ ? તે દિશામાં પોલીસે તપાસ યથાવત રાખી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application