રાજકોટ તાલુકાના જીયાણા ગામની સીમમાં આવેલા કુવામાંથી નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.જે અંગેની જાણ થતા તુરંત પોલીસને જાણ કરાઇ હતી. એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે તાકીદે અહીં પહોંચી બાળકના મૃતદેહને બહાર કાઢી ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બે દિવસના આ બાળકને મૃત હાલતમાં અહીં કુવામાં ફેંક્યો કે પછી બાળકને કુવામાં ડુબાડી મારી નાખ્યો તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ તાલુકાના જીયાણા ગામની સીમમાં શૈલેષભાઇ ખોડાભાઇ લીંબાસીયાની વાડીમાં કામ કરનાર ખેતમજુરને કુવામાંથી બે દિવસની નવજાત બાળકની લાશ તરતી હોવાનું ધ્યાને આવતા તુરંત વાડીમાલિકને જાણ કરવામાં આવી હતી બાદમાં તેમણે સરપંચ જયસુખભાઇ મનસુખભાઇ મોટાણીને જાણ કરતા તેઓ હાલ દિલ્હી હોય તેના મોટાભાઇ કાળુભાઇએ આ બાબતે એરપોર્ટ પોલીસને જાણ કરી હતી.જેથી એરપોર્ટ પોલીસ મથકના પરાક્રમસિંહ સહિતનો સ્ટાફ તાકીદે અહીં પહોંચી ગયો હતો.બાદમાં બાળકીના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.
બનાવને લઇ એરપોર્ટ પોલીસ મથકના સ્ટાફે મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.નવજાતના મોત બાદ તેને નિકાલ કરવા માટે કોઇ લાશ અહીં કુવામાં ફેંકી ગયા કે નવજાત બાળકને જીવત અવસ્થામાં કુવામાં ફેંકી દેવામાં આવ્યો તે અંગેની હકીકત જાણવા માટે એરપોર્ટ પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.આ અંગે વધુ તપાસ એરપોર્ટ પોલીસ મથકના પીએસઆઇ એસ.એસ.જાડેજા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech