અનામતનો લાભ લેનારે તેમાંથી બહાર આવી જવું જોઈએ: સુપ્રીમ

  • February 07, 2024 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું કે, પછાત જાતિના લોકો કે જેઓ અનામતના હકદાર છે અને તેનો લાભ પણ મેળવ્યો છે, તેમણે હવે અનામત શ્રેણીમાંથી બહાર આવવું જોઈએ. એમ પણ કહ્યું કે તેઓએ અન્ય વધુ પછાત લોકો માટે રસ્તો કરવો જોઈએ. હિન્દુસ્તાનના અહેવાલ અનુસાર, સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે મંગળવારે કાનૂની પ્રશ્નની સમીક્ષા કરવાનું શ કયુ કે, શું રાય સરકારને શૈક્ષણિક સંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં પ્રવેશમાં અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા વર્ગીકરણ કરવાનો અધિકાર છે?

રાજયોને અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને વધુ પેટા–વર્ગીકરણ કરવાની સત્તા નથી.
સુનાવણી દરમિયાન, જસ્ટિસ વિક્રમ નાથે પંજાબના એડવોકેટ જનરલ ગુરમિંદર સિંહની દલીલોનો સારાંશ આપતા કહ્યું, આ જાતિઓને કેમ બહાર ન કાઢવી જોઈએ? તમારા મતે, કેટલીક પેટાજાતિઓએ ચોક્કસ શ્રેણીમાં વધુ સાં પ્રદર્શન કયુ છે. તેઓ આ શ્રેણીમાં આગળ છે. તેઓએ તેમાંથી બહાર આવીને જનરલનો મુકાબલો કરવો જોઈએ. ત્યાં કેમ રહેવું? જેઓ હજુ પણ પછાત છે તેમને અનામત મળવા દો. એકવાર તમને આરક્ષણનો લાભ મળી જાય પછી તમારે તે આરક્ષણમાંથી બહાર નીકળી જવું જોઈએ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application