રાજ્યમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનનું 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ ડિઝલ ન ખરીદવા માટે નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું છે. અમદાવાદ પેટ્રોલ પંપ ડીલરો દ્વારા છેલ્લા છ વર્ષથી ડીલર માર્જિન નહીં વધારવા જેવી માંગને લઈને નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું છે.
અમદાવાદ પેટ્રોલ પમ્પ ડીલરો દ્વારા છેલ્લા છ વર્ષથી ડીલર માર્જિન નહીં વધારવાના વિરોધમાં આગામી 15મી સપ્ટેમ્બરે નો પરચેઝનું એલાન કર્યું છે. ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સને નીચે જણાવેલા પ્રશ્નો ઘણા સમયથી પડતર છે. ઘણી બધી રજૂઆત કરી હોવા છતાં નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અત્યાર સુધીમાં કોઈ સંતોષકારક જવાબ તેમજ પ્રશ્નોનું નિરાકરણ થયું ન હોવાથી હવે ના છૂટકે સેન્ટ્રલ ગવર્મેન્ટ પેટ્રોલિયમ મંત્રાલય સુધી મેસેજ પહોંચાડવા માટે પેટ્રોલ ડિઝલ ન ખરીદવા માટે નો પરચેઝનું એલાન કર્યું છે.
પેટ્રોલિયમ ડીલર્સના નીચે જણાવેલા પ્રશ્નો
1. છેલ્લા ૬ વર્ષ થી અમારા ડીલર માર્જિનમાં વધારો થયો નથી.
2. CNG નું ડીલર માર્જિન ૦૧-૧૧-૨૦૨૧ થી ૩૧-૦૩-૨૦૨૩ (૧૭ મહિના નું) મળેલ નથી.
3. બ્રાન્ડેડ પેટ્રોલ / ડીઝલ ફરજિયાત વેચવા માટે વધુ પડતું દબાણ કરી ડીલર ને પરેશાન કરે છે.
ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે વેચાણ ચાલુ
ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ ડિઝન ન ખરીદવાનું એલાન કર્યું છે પરંતુ ગ્રાહકોને કોઈ તકલીફ ન પડે તે બાબતનું ખાસ ધ્યાન રાખીને પેટ્રોલ ડિઝલનું વેચાણ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોબોટે સીડી પરથી કૂદતા નીચે પટકાયો, તો દુનિયા શા માટે તેને ગણાવી રહી છે 'આત્મહત્યા' ?
July 06, 2024 11:52 PMનવા ફોજદારી કાયદા પર કોંગ્રેસના નેતા ચિદમ્બરમના નિવેદન પર લાલઘૂમ થયા ઉપરાષ્ટ્રપતિ ધનખર
July 06, 2024 11:45 PMસોનાક્ષી-લવના અણબનાવ પર શત્રુઘ્ન સિંહાએ તોડ્યું મૌન, કહ્યું- હું સહન નહિ કરુ...
July 06, 2024 11:27 PMચારધામ દર્શન માટે જનારા શ્રદ્ધાળુઓ માતગે માઠા સમાચાર, ભારે વરસાદના એલર્ટ બાદ યાત્રા મોકૂફ
July 06, 2024 11:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech