કોઈપણ પ્રકારના ડર વગર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતા ઇન્ચાર્જ કલેક્ટર: દ્વારકા જિલ્લામાં કુલ ૧૬ કેન્દ્રો ખાતે ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૧૩ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની આજરોજથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારોની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે, ત્યારે ખંભાળિયાની આદર્શ વિદ્યાલય ખાતે ઇન્ચાર્જ કલેક્ટર શ્રી એ.બી.પાંડોર, નિવાસી અધિક કલેકટર શ્રી ભૂપેશ જોટાણીયા, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી હર્ષવર્ધન જાડેજા, મામલતદાર શ્રી વિક્રમ વરૂ સહિતનાં અધિકારીશ્રીઓએ ચોકલેટ આપી સફળ પરીક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામનાઓ પાઠવી હતી.
આ તકે ઇન્ચાર્જ કલેક્ટર શ્રી એ.બી.પાંડોરે કહ્યું હતું કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૧૬ કેન્દ્રો ખાતે ૧૩ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓનીની પરીક્ષા લેવાશે. બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ ભયમુક્ત થઈ પરીક્ષા આપે તેવી શુભકામના પાઠવું છું. ઉપરાંત વિધાર્થીઓને કઈ અગવડતા ન રહે તે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. તેમજ પરીક્ષા દરમ્યાન સતત વીજપુરવઠો જળવાઈ રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે. દરેક સેન્ટર પર સીસીટીવી કેમેરા, પોલીસ ગાર્ડ, ઝોનલ કચેરી/સ્ટ્રોંગરૂમ ઉપર પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષા દરમ્યાન કોઈ વિદ્યાર્થી અથવા પરીક્ષામાં રોકાયેલ અધિકારી/કર્મચારીને પરીક્ષાર્થીઓ માટે જરૂર પડે પ્રાથમિક આરોગ્ય કીટ વ્યવસ્થા સહિતની આનુષાંગિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધોરણ ૧૦ના કુલ ૯,૨૪૬ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૮ કેન્દ્રોમાં લેવાશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના કુલ ૩,૭૪૦ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૬ કેન્દ્રોમાં લેવાશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના કુલ ૩૩૧ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૨ કેન્દ્રોમાં લેવાશે. આમ, જિલ્લામાં ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૧૩,૩૧૭ વિદ્યાર્થીઓનીની પરીક્ષા કુલ ૧૬ કેન્દ્રોમાં ૫૬ બિલ્ડિંગ્સના ૪૭૧ બ્લોક અંતર્ગત લેવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકમોસમી વરસાદનો કહેર યથાવત: સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે તારાજી, 15નાં મોત
May 06, 2025 11:10 PMસુરતની મિશન હોસ્પિટલમાં આગ, 20 દર્દીઓને સ્ટ્રેચર પર કઢાયા બહાર
May 06, 2025 07:13 PMજામનગર : યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કઈ રીતે બચવું તે અંગે આવતીકાલે યોજાશે મોકડ્રિલ
May 06, 2025 06:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech