માધવપુર પંથકમાં પાનની દુકાનના ઉપરના માળે લઇ જઇને સગીરા ઉપર બળાત્કાર ગુજારવાના ગુન્હામાં આરોપીને વીસ વર્ષની સજા ફટકારાઇ છે. ભાવેશ ઉર્ફે ભરત મેરખી બાલસે ગઇ તા. ૧૯-૧-૨૦૨૨ના બપોરે બે થી ત્રણ દરમિયાન પલક પાન સેન્ટરના ઉપરના માળે મમાં આ કામના ફરીયાદીની સગીર વયની દીકરી ભોગ બનનારના ભોળાપણાનો લાભ લઇ પ્રેમ સંબંધ બાંધી અને પલક પાન સેન્ટરના ઉપરના માળે તેણીને મળવા બોલાવેલ અને આ કામના ઉપરોકત લખ્યા આરોપીએ ભોગ બનનારનેકહેલ કે ‘હું બોલાવું ત્યારે આવજે નહીંતર હું દવા પીને મરી જઇશ’ જેથી ભોગ બનનાર ત્યાં આવતા આરોપીએ તેણીની (ભોગ બનનાર) સાથે શારીરિક અડપલાકરી ભોગ બનનારના ના પાડવા છતા પણ ભોગ બનનારના વસ્ત્રો ઉતારી ભોગ બનનારની ઇચ્છા (મરજી) વિધ્ધ તેણીની સાથે શરીર સંભોગ કરેલ અને ભોગ બનનારનેે શરીર સંભોગ કરેલ તે બાબતે કોઇને વાત નહી કરવા જણાવેલ અને આ બાબતે ફરીયાદીને જાણ થતા તેઓ દ્વારા માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ જે અનવ્યો ઉપરોકત આરોપી વિધ્ધ માધવપુર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.ની કલમ તથા પોકસો એકટની કલમ વિધ્ધ બળાત્કારનો ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા ૩૯ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તથા કુલ ૧૫ જેટલા સાહેજદોને તપાસવામાં આવ્યા હતા. તથા સરકાર તરફે દલીલો કરવામાં આવેલ હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજૂ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી ભાવેશ ઉર્ફે ભરત મેરખીભાઇ બાલસને એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા આઇ.પી.સી.ની કલમ તથા પોકેસો એકટની કલમ મુજબ ગુનામાં કસુરવાન ઠરાવી વીસ વર્ષની સખત કેદની સજા તથા કુલ ા. ૧૯,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech