નૈઋત્યનું ચોમાસું બે દિવસમાં અરબી સમુદ્રમાં એન્ટ્રી લેશે

  • May 22, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નૈઋત્યનું ચોમાસુ આગળ વધી રહ્યું છે અને તે બે દિવસમાં અંદામાન –નિકોબાર ટાપુ, માલદીવ, બંગાળની ખાડીના બાકી રહી ગયેલા ભાગો અને અરબી સમુદ્રના સાઉથ ઈસટ વિસ્તારને કવર કરી લેશે તેવી આગાહી હવામાન ખાતા દ્રારા કરવામાં આવી છે.અન્ય એક બુલેટિનમાં હવામાન ખાતાએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સાઉથવેસ્ટ દિશામાં આજે સવારે લો પ્રેસર સિસ્ટમ ઊભી થઈ છે. આ ક્ષેત્રમાં જ અપર એર સાયકલોનિક સકર્યુલેશન પણ સર્જાવા પામ્યું છે. હવે તારીખ ૨૪ ના સવાર સુધીમાં બંગાળની ખાડીના મધ્ય ભાગમાં ડિપ્રેશન સર્જાશે અને તે નોર્થ ઈસ્ટ દિશામાં ગતિ કરશે. આજે લો પ્રેશર સિસ્ટમના કારણે બંગાળની ખાડીમાં પવનની ઝડપ પ્રતિ કલાકના ૩૫ થી ૪૫ કીલોમીટરની થઈ ગઈ છે અને અમુક તબક્કે એ વધીને ૫૫ કીલોમીટર સુધી પહોંચી ગઈ છે. ગુવારે ડિપ્રેશન સર્જાયા પછી પવનની ગતિ કલાકના ૬૦ કીલોમીટરની થશે અને અમુક તબક્કે તે વધીને ૭૦ કિલોમીટર આસપાસ પહોંચી જશે. માછીમારોને આ વિસ્તારમાં માછીમારી માટે ન જવા ચેતવણી આપવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application