પોરબંદરની રત્નાકર પ્રાથમિક-માધ્યમિક શાળાને સ્વ.હીરાલાલ ગગનભાઈ શિયાળની સ્મૃતિમાં પ્રાર્થના ખંડની ભેટ આપવામાં આવી છે.
દાન એ તો ધર્મની આધારશિલા છે.આપણા શાસ્ત્રોમાં પણ દાનનું વિશેષ મહત્વ વર્ણવવામાં આવ્યું છે.દાનના ઘણા પ્રકારો છે જેમ કે, અન્નદાન, અભયદાન, દ્રવ્યદાન, ક્ધયાદાન, ગૌદાન,ભુમિદાન,વસ્ત્રદાન,જ્ઞાનદાન, ધર્મદાન અને ધનદાન જેવા મુખ્ય કુલ અગિયાર પ્રકાર વિશેષ પ્રચલિત છે.
પોરબંદરના સ્વ.હીરાલાલ ગગનભાઈ શિયાળ કે જેઓએ હમેશા માટે સમાજલક્ષી તેમજ પ્રજાલક્ષી કામો કર્યા હતા જેમના થકી અનેક ગરીબ લોકોએ પોતાની રોજીરોટી મેળવેલી હતી તેમજ હજુ પણ અનેક સેવાકીય કાર્યો અવિરત પણે ચાલુ રહેતા હોય છે.જેના ભાગરૂપે સ્વ.હીરાલાલ ગગનભાઈ શિયાળની સ્મૃતિમાં શિયાળ પરિવાર તરફથી અમુલ્ય ભેટ રત્નાકર પ્રાથમિક/માધ્યમિક શાળાના બાળકોને એક વિશાળ પ્રાર્થના ખંડની ભેટ આપી છે જેનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે,રત્નાકર શાળામાં સ્વ.હીરાલાલ ગગનભાઈ શિયાળની સ્મૃતિમાં શાળાના મુખ્ય ટ્રસ્ટી રણછોડભાઈ ગગનભાઈ શિયાળ અને ડેનિશ હીરાલાલ શિયાળ દ્વારા બાળકોને આઈસ્ક્રીમ ખવડાવવામાં આવી હતી.જેના બદલ તમામ રત્નાકર શાળાના વિદ્યાર્થીઓ તરફ થી આભાર વ્યકત કર્યો હતો.આ કાર્યક્રમના ભાગરૂપે રત્નાકર શાળાના શિક્ષણ સમિતિના પ્રમુખ કાનજીભાઇ મુકાદમે હાજરી આપી હતી. આ સંપુર્ણ કાર્યક્રમ સંપન્ન થયો તે બદલ રત્નાકર શાળાના ટ્રસ્ટી રણછોડભાઈ શિયાળ,રત્નાકર શાળાના શિક્ષણ સમિતિના પ્રમુખ કાનજીભાઇ મુકાદમનો શાળાના આચાર્ય અભયભાઇ ચામડિયા તેમજ સ્ટાફે આભાર વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech