શું તારીખ બદલ્યા વિના જ બંધારણના આમુખમાં સુધારો કરી શકાય?: સુપ્રીમ

  • February 10, 2024 01:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સુપ્રીમ કોર્ટે પ્રશ્ન કર્યેા છે કે શું બંધારણ અપનાવવાની તારીખ એટલે કે ૨૬ નવેમ્બર ૧૯૪૯ જાળવી રાખીને તેની પ્રસ્તાવનામાં સુધારો કરી શકાય છે. હકીકતમાં રાયસભાના પૂર્વ સાંસદ સુબ્રમણ્યમ સ્વામી અને વકીલ વિષ્ણુ શંકર જૈને બંધારણની પ્રસ્તાવનામાંથી સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દોને હટાવવાની માંગ કરી છે. સ્વામીએ તેમની અરજીમાં દલીલ કરી છે કે પ્રસ્તાવનામાં સુધારો કે રદ કરી શકાય નહીં. જેના પર ગઈકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની ખંડપીઠે આ સવાલ પૂછયો હતો.

સુનાવણી દરમિયાન જસ્ટિસ દત્તાએ કહ્યું કે શૈક્ષણિક હેતુઓ માટે, શું બંધારણની પ્રસ્તાવના, જેમાં તારીખનો ઉલ્લેખ છે, તેને અપનાવવાની તારીખ બદલ્યા વિના સુધારી શકાય? જો કે, સુધારા કરવામાં કોઈ સમસ્યા નથી. સ્વામીએ કહ્યું– આ બાબતમાં આ પ્રશ્ન છે. જસ્ટિસ દત્તાએ આગળ કહ્યું– કદાચ આ એકમાત્ર પ્રસ્તાવના છે જે મેં જોઈ છે જે તારીખ સાથે આવે છે. યારે બંધારણ અપનાવવામાં આવ્યું ત્યારે મૂળમાં આ બે શબ્દો સમાજવાદી અને બિનસાંપ્રદાયિક તેમાં નહોતા.

જૈને કહ્યું કે ભારતના બંધારણની પ્રસ્તાવના એક નિશ્ચિત તારીખ સાથે આવે છે, તેથી ચર્ચા કર્યા વિના તેમાં સુધારો કરી શકાય નહીં. સ્વામીએ હસ્તક્ષેપ કરીને કહ્યું કે ૪૨મો સુધારો કાયદો કટોકટી (૧૯૭૫–૭૭) દરમિયાન પસાર કરવામાં આવ્યો હતો.

સ્વામીએ તેમની અરજીમાં દલીલ કરી છે કે પ્રસ્તાવનામાં સુધારો કે રદ કરી શકાય નહીં. તેથી તેમાં કરાયેલો એક માત્ર સુધારો પણ પાછો ખેંચવો જોઈએ. સ્વામીએ તેમની અરજીમાં એમ પણ કહ્યું હતું કે પ્રસ્તાવના માત્ર બંધારણની આવશ્યક વિશેષતાઓ જ દર્શાવતી નથી પરંતુ તે મૂળભૂત શરતો પણ મૂકે છે જેના આધારે તેને એકીકૃત સમુદાય બનાવવા માટે અપનાવવામાં આવ્યું હતું.

૨ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ, સુપ્રીમ કોર્ટે સ્વામીની અરજીને બલરામ સિંહ અને અન્ય પેન્ડિંગ કેસ સાથે ટેગ કરી. જોકે, બેન્ચે કહ્યું કે આ મામલે લાંબી ચર્ચાની જર છે. તેથી બંને અરજીઓ પર સુનાવણી ૨૯ એપ્રિલે હાથ ધરવામાં આવશે.૧૯૭૬માં ઈન્દિરા ગાંધી સરકાર દ્રારા રજૂ કરાયેલા ૪૨મા બંધારણીય સુધારા હેઠળ બંધારણની પ્રસ્તાવનામાં સમાજવાદી અને બિનસાંપ્રદાયિક શબ્દોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સુધારાએ પ્રસ્તાવનામાં ભારતના વર્ણનને સાર્વભૌમ, લોકશાહી પ્રજાસત્તાકમાંથી સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાકમાં બદલી નાખ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application