પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને નો-પરચેઝનું એલાન ખેંચ્યું પાછું, શુક્રવારે પેટ્રોલ-ડિઝલ નહીં ખરીદવા માટે આપ્યું હતુ નો-પરચેઝનું એલાન

  • September 14, 2023 10:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનનું 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ ડિઝલ ન ખરીદવા માટે નો પરચેઝનું એલાન કરવામાં આવ્યું હતું જે તેમણે પાછુ ખેંતી લીધુ છે.


આ કારણથી ખેંચ્યુ પાછું

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસો. તરફથી તા.૧૫-૦૯-૨૦૨૩ને શુક્રવારના રોજ પેટ્રોલ અને ડિઝલ નહી ખરીદવા માટે “No Purchase”નું એલાન આપેલું હતુ. તેના કારણે આજે ગાંધીનગર પુરવઠા ખાતાના અધિકારીઓ તેમજ ઓઈલ કંપનીના અધિકારી સાથે તેમજ ફેડરેશનના મેમ્બરો સાથે એક જોઈન્ટ મીટીંગ મળી હતી. જેમાં પુરવઠા ખાતા તરફથી ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસો.ને ખુબ જ સંતોષકારક જવાબ મળ્યો હોવાથી નો પરચેઝનું એલાન પાછું ખેંચી લીધુ છે. મહત્વનું છે કે મીટીંગમાં અધિકારી દ્વારા ડિલર માર્જીન વધારવા જેવા પ્રશ્નોનું ભારત સરકારમાં રજુઆત કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવાની ચર્ચા પણ થઈ હતી.


મહત્વનું છે કે અમદાવાદ પેટ્રોલ પમ્પ ડીલરો દ્વારા છેલ્લા છ વર્ષથી ડીલર માર્જિન નહીં વધારવાના વિરોધમાં આગામી 15મી સપ્ટેમ્બરે નો પરચેઝનું એલાન કર્યું હતુ. ગુજરાત રાજ્યના પેટ્રોલિયમ ડીલર્સના નીચે જણાવેલા પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી પડતર હતા તેને લઈને નો પરચેઝનું એલાન આપ્યું હતુ. નીચે આપેલા પ્રશ્નોની ઘણી બધી રજૂઆત કરી હોવા છતાં નિરાકરણ કોઈ પ્રકારનું આવતુ ન હતું.


પેટ્રોલિયમ ડીલર્સના નીચે જણાવેલા હતા પ્રશ્નો 

1. છેલ્લા ૬ વર્ષ થી અમારા ડીલર માર્જિનમાં વધારો થયો નથી.

2. CNG નું ડીલર માર્જિન ૦૧-૧૧-૨૦૨૧ થી ૩૧-૦૩-૨૦૨૩ (૧૭ મહિના નું) મળેલ નથી.

3. બ્રાન્ડેડ પેટ્રોલ / ડીઝલ ફરજિયાત વેચવા માટે વધુ પડતું દબાણ કરી ડીલર ને પરેશાન કરે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application