લાહોર હાઈકોર્ટે ભગત સિંહ સામેના કેસનો રેકોર્ડ આપવાનો ઈનકાર કર્યેા

  • October 04, 2024 11:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પાકિસ્તાનની એક કોર્ટના રજિસ્ટ્રાર કાર્યાલયે સ્વાતંય સંગ્રામના હીરો ભગત સિંહ અને તેમના બે સહયોગીઓ રાજગુ અને સુખદેવ સાથે સંબંધિત ન્યાયિક રેકોર્ડ માટે એનજીઓની વિનંતીને નકારી કાઢી હતી. ભગત સિંહ મેમોરિયલ ફાઉન્ડેશન પાકિસ્તાનના અધ્યક્ષ ઈમ્તિયાઝ રાશિદ કુરેશીએ લાહોર હાઈકોર્ટના રજિસ્ટ્રાર ઓફિસમાં અરજી દાખલ કરીને કોર્ટની ત્રણ સભ્યોની વિશેષ ટિ્રબ્યુનલ પાસેથી ૭ ઓકટોબર, ૧૯૩૦ના ભગત સિંહ, રાજગુ અને સુખદેવના ન્યાયિક રેકોર્ડની માંગણી કરી હતી.
લાહોર હાઈકોર્ટની રજિસ્ટ્રાર ઓફિસે વિનંતી સ્વીકારવાનો ઇનકાર કર્યેા હતો, એમ કહીને કે તે ફાઉન્ડેશનને રેકોર્ડ આપી શકશે નહીં. રશીદ કુરેશીએ કહ્યું, લાહોર હાઈકોર્ટના ડેપ્યુટી રજીસ્ટ્રાર તાહિર હત્પસૈને કહ્યું કે યાં સુધી લાહોર હાઈકોર્ટ ભગત સિંહ અને અન્યના ન્યાયિક રેકોર્ડ ફાઉન્ડેશનને આપવાનો આદેશ ન આપે ત્યાં સુધી તેમનું કાર્યાલય આવું કરી શકે નહીં. તેમણે કહ્યું કે રજિસ્ટ્રાર કચેરી દ્રારા ન્યાયિક રેકોર્ડ પ્રદાન કરવાનો ઇનકાર એ ઘોર અન્યાય છે.
તેમણે કહ્યું કે તેઓ આ અંગે લાહોર હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે. ભગતસિંહ દેશની આઝાદી માટે લડા હતા. ૨૩ માર્ચ, ૧૯૩૧ના રોજ, બ્રિટિશ શાસન વિદ્ધ કાવતં ઘડવાના આરોપમાં ભગત સિંહને તેમના સાથી રાજગુ અને સુખદેવ સાથે ૨૩ વર્ષની ઉંમરે ફાંસી આપવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application