ફિલ્મ રિવ્યૂઃ ધ કેરલ સ્ટોરી દર્શકોને બાંધવામાં રહી સદંતર નિષ્ફળ

  • May 06, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અદા શર્માની ફિલ્મ વાસ્તવિક્તા કરતા એજન્ડાબેઝ્ડ હોવાનું અનુમાન
  • વિવાદ દ્વારા ફિલ્મ માટે દર્શકો ભેગા કરવા પર મેકર્સનું ફોકસ


ધ કાશ્મીર ફાઇલ્સની જેમ ઉન્માદ અને વિવાદ જગાડનારી ફિલ્મ ધ કેરલ સ્ટોરી આખરે રિલીઝ થઇ ગઇ. તેને જોઇ લાગે છે કે ફિલ્મ દર્શકોને બાંધવામાં નિષ્ફળ ગઇ છે અને માત્ર એજન્ડાબેઝ્ડ લાગે છે. ફિલ્મમાં નર્સિંગ કોલેજમાં આવેલી છોકરીઓની સ્ટોરી છે પરંતુ આ કેરેક્ટર્સને ફિલ્મમાં માત્ર એક જ વાર ક્લાસમાં બતાવવામાં આવ્યા છે. તેઓ આખો દિવસ હોસ્ટેલના રૂમમાં ધર્મ પર વાતો કરતી રહે છે. આ પ્રકારની ટ્રીટમેન્ટથી મેકર્સનો ઝુકાવ સ્પષ્ટ દેખાય આવે છે કે તે એક સોલિડ સ્ટોરી પર ફિલ્મ બનાવવાને બદલે તેને એજેન્ડાબાજીથી પ્રમોટ કરીને અથવા વિવાદ દ્વારા ફિલ્મ માટે ઓડિયન્સ ભેગું કરવા પર ફોકસ કર્યું છે.


ફિલ્મ સ્ક્રીન પર દર્શકોને બાંધવામાં નિષ્ફળ રહે છે અને તેમા હિંસા અને મહિલાઓના શોષણના સીન્સને ખાસ ધ્યાન ખેંચવા માટે શૂટ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં કેરેક્ટર્સ દર્શકોના ઇમોશન સાથે કનેક્ટ થવા  કરતા વધુ ગ્લોરિફાઈ થવાના અંદાજમાં દેખાય છે.


ફિલ્મમાં લીડ રોલ પ્લે કરી રહેલી અદા શર્માનું કામ જરા પણ ઇમ્પ્રેસ નથી કરતું. તેના એક્સપ્રેશન અને રિએક્શન થોડાં સમય બાદ ઇરિટેટિંગ લાગવા માંડે છે. તે સ્ક્રીન પર અટેન્શન નથી પકડી શકતી. આસિફાના રોલમાં સોનિયા બાલાનીના ચેહરા પર એક ટિપિકલ શૈતાની લુક દેખાય છે, જ્યારે નેગેટિવ રોલમાં તેની પાસે કરવા માટે ઘણુ બધુ હતું. સપોર્ટિંગ કાસ્ટમાં આસિફાના ફ્રેન્ડ બનેલા ત્રણેય છોકરા પણ અસર છોડવામાં નિષ્ફળ રહે છે.


આ પ્રકારની ટ્રીટમેન્ટ ફિલ્મને માત્ર એક એજેન્ડા બેઝ્ડ સ્ટોરી બનાવી દે છે. જ્યારે, મેકર્સે ધ કેરલ સ્ટોરી’ના પ્રમોશનમાં કહ્યું હતું કે, આ ત્રણેય છોકરીઓની સ્ટોરી છે. એવામાં સ્ટોરીનું ફોક્સ છોકરીઓની સ્ટોરી કરતા વધુ ધાર્મિક નફરતને પ્રોત્સાહન આપવાનું દેખાય છે અને આ જ સ્ટોરીની સૌથી મોટી ચૂક છે.


ધ કેરલ સ્ટોરી ત્રણ છોકરીઓ શાલિની, નીમા અને ગીતાંજલિની સ્ટોરી કહે છે, જે નર્સ બનવા પોતાના ઘરથી દૂર એક કોલેજમાં આવી છે. અહીં તેમની મુલાકાત આસિફા સાથે થાય છે જે ફંડામેન્ટલિસ્ટ છે અને ધીમે-ધીમે સામે આવે છે કે, ISIS માટે છોકરીઓને રિક્રૂટ કરવાનું કામ પણ કરે છે. તે પોતાના સાથીઓની મદદથી ત્રણેયને ધર્મ બદલવા માટે ઉશ્કેરે છે.


શાલિની સૌથી પહેલા આસિફાથી પ્રભાવિત થવા માંડે છે. તેને આસિફાના એક ફ્રેન્ડ સાથે પ્રેમ પણ થઈ જાય છે અને બંને ધર્મ બદલીને લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય છે. શાલિની હવે ફાતિમા બા બની જાય છે. પરંતુ, સ્ટોરીમાં એક ટ્વિસ્ટ આવે છે અને પછી ફાતિમા બની ચુકેલી શાલિની, પોતાના બાળક સાથે ઇરાક-સીરિયા બોર્ડર પર પહોંચી જાય છે.


.એવુ શું થયુ અને કઈ રીતે થયુ, ધ કેરલસ્ટોરી તેની જ વાર્તા છે. નીમા અને ગીતાંજલિ, શાલિનીની જેમ ડાયરેક્ટ ISIS તો નથી પહોંચતા, પરંતુ તેમણે તેના જ પરિણામો ભારતમાં ખૂબ જ દુઃખદરીતે ભોગવવા પડે છે.


ફિલ્મની વાર્તામાં એક પોઇન્ટ આવે છે, જ્યારે નર્સ બનવા આવેલી છોકરીઓને આતંકવાદ તરફ ધકેલવામાં લાગેલા લોકો એક દવા ખવડાવવા માંડે છે. આ દવા બ્રેઇનવોશ કરવામાં મદદ કરે છે. ત્રણ યુવતીઓની સ્ટોરીને 32 હજાર યુવતીઓની સ્ટોરી બતાવીને પહેલા જ ફિલ્મ પર ખૂબ જ વિવાદ થઈ ચુક્યો છે.



મેકર્સે પોતે જ પોતાની ફિલ્મ પર સૌથી મોટો વ્યંગ કર્યો છે કે ટીઝરથી લઇને પ્રમોશન સુધી 32 હજાર યુવતીઓની સ્ટોરી બતાવ્યા બાદ ‘ધ કેરળ સ્ટોરી’ના અંતમાં સ્ક્રીન પર એક લાઇન લખી દીધી કે, 30 હજારના આંકડા મેકર્સને એક વેબસાઇટ પરથી મળ્યા હતા. હવે આ વેબસાઇટ ઇન્ટરનેટ પરથી ગાયબ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application