વેરાવળ-સોમનાથને પીવાનું પાણી પુરું પાડતા હિરણ-૨ ડેમના બે દરવાજા ખોલાતા નદીમાં ભરઉનાળે પૂર

  • April 09, 2024 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉમરેઠી ગામ પાસે આવેલ હિરણ-૨ ડેમનાં દરવાજા બદલવાનું કામ યાંત્રિક વિભાગ દ્વારા હાથ ધરવામા આવેલ છે. તારીખ ૦૬/૦૪/૨૦૨૪ રોજ જળાશયનું આર.એલ ૬૪.૯૪ મીટર, ઉંડાઈ ૨.૫૨ મીટર તથા જીવંત જથ્થો ૪.૨૬૫ એમ.સી.યુ.એમ. છે. 
ઉપરોક્ત જણાવેલ કામગીરી સબબ ડેમનાં દરવાજા ખોલવાની પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ છે. 
સરકારના -૨ યોજના/૨૬૦૫થી અનુમતી આપવામાં આવેલ છે, જે અન્વયે તારીખ ૦૭/૦૪/૨૦૨૪ના રોજ ૧૮:૦૦ કલાકે ડેમનાં ૦૨ દરવાજા ૦.૩૦ મીટર ખોલવામાં આવશે. જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ ૧૩૭૬.૬૪ ક્યુસેક હશે. 
જેથી હિરણ-૨ જળાશયનાં હેઠવાસમાં આવતા ગામોનાં લોકોને નદીનાં પટમાં અવર-જવર ન કરવા તેમજ ઢોર-ઢાંખર ન લઈ જવા (હાઈ એલર્ટ) સંપુર્ણ સતર્ક રહેવા સુચના અપાઈ જવા વિનંતી છે.


હિરણ-૨ જળાશય હેઠળનાં ગામોનાં નામ

તાલાળા તાલુકા:- ૧) ઉમરેઠી, ૨) માલજીજીંજવા, ૩) સેમરવાવ વેરાવળ તાલુકા:- ૧) ભેરાળા, ૨) મંડોર, ૩) ઈશ્વરીયા, ૪) ઈન્દ્રોઈ, ૫) નાવદ્રા, ૬) સોનારીયા, ૭) સવની, ૮) બાદલપરા, ૯) મીઠાપુર, ૧૦) કાજલી, ૧૧) પ્રભાસ પાટણ હિરણ ડેમ ઉપરના અધિકારી પીઠીયા એ જણાવેલ કે આ ડેમ બન્યા બાદ ૧૯૮૨માં પ્રથમવાર ભરાયો હતો અને ત્યારબાદ આ ડેમના દરવાજા બદલવા આવેલ નથી અને લાંબા સમય થતાં આ દરવાજા ધીમે ધીમે ડેમેજ જયેલ જેથી બદલવા જરૂરી હતા જેથી ડેમ ઉપરના સાત દરવાજા નવા બદલવામા આવશે અને તેના માટે અમુક લેવલ નુ પાણી ખાલી કરવા માટે બે દરવાજા ખોલવામાં આવેલ છે આ પાણી નીકળવા છતાં પાણીનો જથ્થો અનામત રહેશે અને જુન સુધી પીવાનુ પાણી મળી રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application