તરસમીયા રોડ પરની દરગાહ તોડી પડાઇ

  • January 04, 2024 06:43 PM 

શહેરના તરસમીયા રોડ પર આવેલી મહાપાલિકાની ટીપી સ્કીમ નં. ૧૩ની જમીન પર રોડ માટેની ગતીવિધી મહાપાલિકા દ્વારા હાથ ધરાનાર હોય, પરંતુ આ જમીન પર મશરાણી પીરની દરગાહના બિલ્ડીંગો અડચણ‚પ આવતાં આ દબાણ હટાવવા મહાપાલિકા દ્વારા અગાઉ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરંતુ આ કાર્યવાહી સામે કોર્ટની દાદ મંગાઇ હતી. દરમિયાન આ મામલે કોર્ટમાં હયરીંગ પુર્ણ થતાં કોર્ટે મહાપાલિકાની તરફેણમાં એટલે કે ટી.પી. સ્કીમ નં. ૧૩ પર માર્ગ બનાવવા માટેની કામગીરી સંદર્ભેનો હુકમ કર્યો હતો. કોર્ટના હુકમના પગલે મ્યુ. કમિશ્નર નવીન ઉપાઘ્યાયની સીધી સુચના હેઠળ મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ ડેવલોપમેન્ટ વિભાગ તેમજ દબાણ હટાવ સેલનો કાફલો આજે સીટી ડીવાયએસપી અને પીઆઇ તેમજ પોસઇ સહિતના પોલીસ બંદોબસ્ત સાથે તરસમીયા રોડ પર પહોંચ્યો હતો અને મશરાણી દરગાહના ત્રણ બિલ્ડીંગોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application