રાજકોટ શહેરના વોર્ડ નં.૨માં આવેલા વિસ્તારોમાં અશાંત ધારામાં સમાવિષ્ટ્ર વિસ્તારેલી મિલકતોની લે–વેચમાં અશાંત ધારા નિયમ ભગં ઉલાળીયો કરાતો હોવાની ધારાસભ્ય તથા ભાજપના અગ્રણીઓની રજુઆતના પગલે હવે ખુદ કલેકટર દ્રારા રીવ્યુ સાથે રીપોર્ટ લેવાશે.
અશાંતધારામાં સમાવેશ થતાં વિસ્તારોની મિલકતો હિન્દુ મુસ્લિમ કે કોઈને લે–વેચ માટે નોંધણી માટે કલેકટર કચેરીની મંજુરી ફરજીયાત બની રહે છે. મિલકતો વેચાણની મંજુરી લઈને આવી મિલકતો હિંદુઓના નામે દસ્તાવેજો કરાવી રહેવા અન્યોેેેેેેેેેેેેેેેે આવી જતાં હોવાની અને અશાંતધારાના નિયમ બાબતે તત્રં દ્રારા પણ ચિવટ ન રખાતી હોવાની કે, યોગ્ય તપાસ થતી ન હોવાથી ગત સાહે ધારાસભ્ય શ્રીમતી દર્શિતાબેન શાહની આગેવાનીમાં ભાજપ અગ્રણીઓ સ્થાનીક રહેવાસીઓ કલેકટર કચેરીએ રૂબરૂ આવીને લેખીત રજુઆત કરાઈ હતી.
પ્રાંત–૧ની કચેરીમાં વોર્ડ નં.૨માં આવી ૧૨થી વધુ મિલકતોની લે–વેચ સંબંધે ફરિયાદો મળી હતી. જેમાં કોઈ યોગ્ય નિવેડો નહીં આવ્યાનું કે માત્ર કાગળો પર કામ કરીને તત્રં દ્રાર સ્થળ તપાસ કે આવું કાંઈ થતું ન હોવાના આક્ષેપો પણ રજુઆતકર્તાઓ દ્રારા થયા હતા જે સંદર્ભે પ્રાંત–૧ કચેરી દ્રારા તપાસ પણ ચાલી રહી છે. ખુદ ભાજપના ધારાસભ્યએ કલેકટર તંત્રની ઢીલાશ કે આવી બાબતે કરેલી રજુઆતને કલેકટર દ્રારા ધ્યાન પર લેવાઈ છે.
અશાંતધારાના નિયમ પાલનમાં જયા મિલકતો લે–વેચમાં ગળબળી ઉતાવળ થઈ છે તેવા કેસમાં અરજદારોને કે રજુઆતોને ધ્યાને લઈ આવા કેસ કલેકટર પ્રભવ જોષી પોતે રીવ્યુ કરશે. અરજદારોનેે સાંભળશે કે દસ્તાવેજ પુરાવાઓ સહિતની બાબતો ચકાશશે જયાં અશાંતધારા નિયગ ભગં થયો હોવાનું ખુલશે તો આવી મિલકતોની દસ્તાવેજ નોંધણી અથવા તો તંત્રને ગેરમાર્ગે દોરીને દસ્તાવેજ કરવા કરાવવા સંદર્ભે જરૂર પડયે એન્ટ્રી રદથી કાયદાકીય કાર્યવાહી સુધીના પગલા લેવાશે તેવું કલેકટર તંત્રના તેમજ રજુઆતકર્તા સુત્રોમાંથી જાણવા મળે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech