ઘણા લાંબા સમયથી જેની પોરબંદરવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા તે ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ઘડીઓ ગણાઇ રહી છે અને સાંસદ ડો. મનસુખ માંડવીયાને કેન્દ્રીય મંત્રી પદ મળ્યા બાદ હવે ‘બીજુ એન્જીન’ અર્જુન મોઢવાડીયા પણ મંત્રીપદના પાટે ચડે તેવી પૂરેપૂરી શકયતાઓ જણાઇ રહી છે.
ગુજરાત સરકાર દ્વારા મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી ચર્ચાઓ ગાંધીનગરના વર્તુળો પાસેથી પ્રાપ્ત થઇ છે જેમાં એવું જાણવા મળ્યુ છે કે છેલ્લા કેટલાક સમયથી અલગ-અલગ મુદે ગુજરાત સરકાર ઘેરાઇ રહી છે. જબરી બહુમતિ હોવા છતાં જુદા-જુદા બનાવને કારણે સરકાર ફીકસમાં મુકાઇ રહી છે. તાજેતરમાંજ ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ રાજ્ય સરકાર અને તેનુ આરોગ્ય વિભાગ સહિત આરોગ્યમંત્રી બચાવની પરિસ્થિતિમાં મુકાઇ ગયા છે ત્યારે જાણવા મળતી વિગત પ્રમાણે સરકારમાં મંત્રી મંડળનું વિસ્તરણ કરવાનો ગંજીપો ચીપાશે જેમાં પોરબંદરને મંત્રીપદ મળશે.
અર્જુનભાઇ મોઢવાડીયા કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ધુંઆધાર રજૂઆતો કરતા હતા.પરંતુ ત્યારબાદ તેઓએ કેસરીયો ખેસ પહેરીને ભાજપમાં પ્રવેશ મેળવ્યા બાદ પોરબંદર વિધાનસભા સીટની ચૂંટણી એકલાખથી વધુ મતે જીતી બતાવી છે અને ત્યારથી જ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી માંડીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગુડ બુકમાં સ્થાન પામ્યા છે અને સ્વાભાવિક રીતે જ પક્ષ પલ્ટો કર્યો ત્યારથી જ તેઓ મંત્રીપદ મળે તેવા હેતુ સાથે જ ભાજપમાં જોડાયાની ચર્ચાઓ વેગવંતી બની હતી તેથી હવે ટૂંકસમયમાં ગુજરાત સરકારનું વિસ્તરણ થવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે અર્જુનભાઇ મોઢવાડીયાને પણ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે સમાવાય તેવુ જણાઇ રહ્યુ છે તેમની સાથે સી.જે. ચાવડાને પણ મંત્રી બનાવાય તેવી અટકળો વહેતી થઇ છે. તો આઇ.પી.એસ. અધિકારીઓની બદલીનો ઘાણવો પણ તૈયાર હોવાનું જાણવા મળી રહ્યુ છે.
પોરબંદરના સાંસદ ડો. મનસુખ માંડવીયાને કેન્દ્રીય મંત્રી તરીકે સમાવવામાં આવ્યા છે અને હવે અર્જુનભાઇ મોઢવાડીયાને પણ રાજ્ય સરકારમાં મંત્રી પદ મળે તેવુ ચર્ચાઇ રહ્યુ છે ત્યારે પોરબંદરનો વિકાસ ડબલ એન્જીન સરકાર સારી રીતે કરી શકશે તેવુ પોરબંદરના મતદારો પણ માની રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech