શહેરના જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતા મહિલાના ઘરમાં બગસરાના શખસે પેટ્રોલ છાંટી આગ ચાપી માતા–પુત્રીને જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કર્યેા હતો.જેમાં પ્રૌઢા ૫૮ વર્ષના પ્રૌઢા ગંભીર રીતે દાઝી ગયા હતા. જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અંગે આરોપી સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં આરોપી એવા બગસરાના આ શખસને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જામનગર રોડ પર સ્લમ કવાર્ટરમાં રહેતા ભારતીબેન રાજેશભાઈ પરમાર (ઉ.વ ૫૮) નામના મહિલાને ગઇકાલે દાઝેલી હાલતમાં સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ.ખસેડવામાં આવ્યા હતા. મહિલાએ હોસ્પિટલ બીછાનેથી તેના ઘરમાં બગસરાના રવી સોલંકીએ પેટ્રોલ છાંટી આગ લગાડી હોવાનું જણાવતા તુરતં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.આ ઘટના અંગે મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે રવિ વજુભાઇ ઉર્ફે કેશુભાઇ સોલંકી(રહે. વાલ્મિકિવાસ બસ સ્ટેન્ડની પાછળ,બગસરા) નું નામ આપ્યું હતું. ભારતીબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેમને સંતાનમાં ચાર દીકરીઓ છે જેમાંથી જેમાંથી મોટી ત્રણ પુત્રીના લ થઇ ગયા છે.જયારે નાની દીકરી મધુ કુંવારી છે.મહિલાના પતિનું દોઢેક વર્ષ પૂર્વે અવસાન થઇ ચૂકયું છે.
ત્રણ માસ પૂર્વે ફરિયાદીના નાની પુત્રી મધુના સગપણની વાત બગસરાના રવિ સોલંકી સાથે થઇ હતી. પરંતુ થોડા સમય બાદ રવિ સોલંકીના ચાલચલણ ઠીક ન હોય તેવું જાણવા મળતા બે માસ પૂર્વે આ સગપણ તોડી નાખ્યું હતું. જે બાબતથી રવિ અકળાયો હતો. રવિ અવારનવાર ફરિયાદીની દીકરી મધુને હેરાન કરતો હતો.
ગઇકાલે રાત્રીના રાત્રીના મકાનમાં આગ લગાડતા પ્રૌઢા દાઝી ગયા હતાં.આ ઘટના અંગે વિધવા મહિલાની ફરિયાદ પરથી પોલીસે આરોપી રવિ સોલંકી સામે હત્યાનો પ્રયાસ અને ધમકી અંગેની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
દરમિયાન પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ બી.એમ.ઝણકાટની રાહબરીમાં પીએસઆઇ બી.વી.ચુડાસમા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી દરમિયાન એએસઆઇ સી.એમ.ચાવડા, કોન્સ અંકિતભાઇ નીમાવત અને હર્ષરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે આરોપી રવી વજુભાઇ સોલંકી(ઉ.વ ૩૫ રહે. અમરપરા લાતી બજાર પાસે,બગસરા) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએક સાથે પંદર હોમગાર્ડઝ સભ્યોને ફરજ મોકૂફ અને એક સભ્યને બરતરફ કરતાં જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ
October 05, 2024 06:52 PMજામનગરમાં અતિવૃષ્ટિમાં થયેલ નુકશાન બાદ વળતર મુદ્દે પ્રાંત અધિકારીએ આપી પ્રતિક્રિયા
October 05, 2024 06:47 PMકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech