જમ્મુ–કાશ્મીરનાં પુંછમાં આતંકીઓએ ઓચિંતો હત્પમલો કરી સેનાનાં વાહનને નિશાન બનાવ્યું હતું. આ ઘટના બાદ હત્પમલાખોર આંતકીઓ ત્યાંથી ભાગી ગયા હતા. સેના દ્રારા સમગ્ર વિસ્તારને ઘેરી લઈ આતંકીઓની શોધખોળ હાથ ધરી છે.ત્રણ સાહમાં સેના પર બીજો આતંકી હત્પમલો છે.
શુક્રવારે મોડી રાતે જમ્મુ અને કાશ્મીરના પૂંછ સેકટરના કૃષ્ણા ઘાટી વિસ્તારમાં આતંકવાદીઓએ સુરક્ષા દળોના કાફલા પર ગોળીબાર કર્યેા. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. સુરક્ષા દળો દ્રારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.વ્હાઇટ નાઈટ કોપ્ર્સે ટિટર પર લખ્યું, ૧૨ જાન્યુઆરી આશરે ૧૮:૦૦ કલાકે પૂંછ સેકટરના કૃષ્ણા ઘાટી નજીકના જંગલમાંથી શંકાસ્પદ આતંકવાદીઓ દ્રારા સુરક્ષા દળોના વાહનોના કાફલા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. અમારા સૈનિકોમાં કોઈ જાનહાનિ થઈ નથી. ભારતીય સેના અને જમ્મુ–કાશ્મીર પોલીસ દ્રારા સંયુકત સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પુંછમાં જ હતા.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જે વાહનો પર હત્પમલો કરવામાં આવ્યો હતો તે સુરક્ષા કર્મચારીઓને કેમ્પમાં પાછા લઈ જઈ રહ્યા હતા. સૈન્યના કાફલા પર આ હત્પમલો એવા સમયે થયો છે યારે ઉત્તરી કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ–ઇન–ચીફ લેટનન્ટ જનરલ ઉપેન્દ્ર દ્રિવેદી સહિતના ઉચ્ચ અધિકારીઓ સતત આતંકવાદી હત્પમલાનો સામનો કરવા માટે વ્યૂહરચના ઘડવા પૂંચમાં છે. નવા વર્ષમાં આતંકવાદ વિરોધી ઓપરેશન પ્લાન તૈયાર કરવા ઉપેન્દ્ર દ્રિવેદીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠક બાદ આ ઘટના પ્રકાશમાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 03:04 AMભારત-પાકિસ્તાન યુદ્ધની પરિસ્થિતિ પર જામનગર જિલ્લા વહીવટી તંત્રની ચાંપતી નજર
May 09, 2025 02:39 AMભારતને કોઈ નુકસાન થયું નથી... સંરક્ષણ મંત્રાલયે પુષ્ટિ આપી
May 09, 2025 01:28 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech