રશિયાના દાગેસ્તાનમાં ચર્ચેા પર આતંકી હુમલા: પાદરી, જવાનો સહિત ૧૭નાં મોત

  • June 24, 2024 11:38 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રશિયાના દાગેસ્તાન ક્ષેત્રના બે શહેરોમાં રવિવારે મોટો આતંકવાદી હત્પમલો થયો હતો, જેમાં ઓછામાં ઓછા ૧૭ લોકો માર્યા ગયા અને ૨૫ ઘાયલ થયા. રશિયાની તપાસ સમિતિએ કહ્યું કે તેણે આતંકવાદી હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. આ હુમલાઓ ચર્ચેા, પૂજા સ્થાનો પર કરવામાં આવ્યા હતા.ડર્બેન્ટ અને મખાચકલા શહેરોમાં પોલીસ ચોકીઓ પર પણ હુમલા થયા હતા.દાગેસ્તાન પ્રજાસત્તાકના વડા, સેરગેઈ મેલિકોવે નિવેદનમાં જણાવ્યું હતું કે અજાણ્યા શખ્સોએ સામાજિક પરિસ્થિતિને અસ્થિર કરવાનો પ્રયાસ કર્યેા હતો.તેમને વધુમાં કહ્યું કે હત્પમલાખોરોની ઓળખ કરવામાં આવી રહી છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં સાત પોલીસ અધિકારીઓ, એક પાદરી અને એક ચર્ચ સુરક્ષા ગાર્ડનો સમાવેશ થાય છે. રશિયન સમાચાર એજન્સી અનુસાર, ચાર આતંકવાદીઓ પણ માર્યા ગયા છે.તપાસ નિર્દેશાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે હત્પમલામાં સામેલ લોકોની તપાસ કરવામાં આવી રહી છે અને તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. દાગેસ્તાન પબ્લિક મોનિટરિંગ કમિશનના અધ્યક્ષ શામિલ ખાદુલેવે જણાવ્યું હતું કે ફાધર નિકોલેની ડર્બેન્ટના ચર્ચમાં હત્યા કરવામાં આવી હતી, તેમનું ગળું આતંકવાદીઓએ કાપી નાખ્યું હતું. તેણે એમ પણ કહ્યું કે ચર્ચમાં માત્ર પિસ્તોલથી સ એક સુરક્ષા ગાર્ડે ગોળી મારી હતી. દાગેસ્તાનના આંતરિક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર, માર્યા ગયેલા અધિકારીઓમાંથી એક પોલીસ વિભાગના વડા, માવલુદિન ખિદિરાનબીવ હતા


મખાચકલા અને ડર્બેન્ટમાં હુમલા
ઈઝરાયેલના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મખાચકલા અને ડર્બેન્ટમાં પ્રાર્થના સભાઓ પર હત્પમલો કરવામાં આવ્યો હતો.ત્યાં સ્થાનિક ગાર્ડનું મોત થયું હતું. મખાચકલામાં પણ પ્રાર્થના સભા પર ગોળીઓથી હત્પમલો કરવામાં આવ્યો હતો. યહદી સમુદાયમાંથી કોઈ જાનહાનિ થઈ ન હતી.રશિયન સત્તાવાળાઓએ આ વિસ્તારમાં બુધવાર સુધી ત્રણ દિવસનો શોક જાહેર કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application